________________
વેદાન્તદર્શનમાં કહેવામાં આવ્યું છે - ત્રણ સત્ય ખન્મિથ્યા' આ અપેક્ષાએ સાચું છે. બ્રહ્મ એટલે આત્મા. આત્મા જ સત્ય તત્ત્વ છે. એટલા માટે એના સિવાય બધું જ મિથ્યા છે – અસત્ય છે. એટલા માટે જગતની સાથે મમત્વ જોડવાની જ્ઞાની પુરુષો મના કરે છે. જગત સાથેના ભાવાત્મક સંબંધો તોડવાના જ છે. બાહ્ય વ્યવહારની દ્રષ્ટિથી, નિર્લેપ ભાવથી જ સંબંધો રાખવાના છે. બાહ્ય વ્યવહારમાં સંબંધો રાખવા પડે છે. કારણ કે જગતની સાથે આપણે જીવવાનું છે. હા, પૂર્વકાળમાં મહર્ષિ, યોગી, મુનીશ્વર...જેઓ જંગલમાં ગિરિગુફાઓમાં રહેતા હતા, ધ્યાનમગ્ન રહેતા હતા, એ રીતે રહેવું હોય તો વ્યાવહારિક સંબંધો ય રાખવાની જરૂર નથી. હું નથી - નામ્ :
જગતની સાથે, બીજા જડ-ચેતન પદાર્થોની સાથે સંબંધો રાખવાના નથી. પોતાના શરીરની સાથે અને પોતાના વ્યક્તિત્વની સાથે પણ સંબંધ રાખવાનો નથી. • હું મનુષ્ય નથી, આ મનુષ્યદેહ હું નથી. • હું યુવાન નથી, વૃદ્ધ નથી, શરીરની કોઈ પણ અવસ્થા હું નથી. • હું સ્ત્રી નથી, હું પુરુષ નથી. • હું વેપારી નથી, હું નોકર નથી. • જે નામે હું પોકારાવું તે હું નથી, હું તો અનામી છું. • હું ડૉક્ટર નથી, વકીલ નથી કે એન્જિનિયર નથી. • કોઈ નામ-રૂપવાળો હું નથી.
નામ માડમ નામ હું નથી, હું નથી. હું નથી. પોતાના વ્યક્તિત્વને ભૂલવું, પોતાની ઓળખાણ ભૂલવી ખૂબ જરૂરી છે. એટલા માટે યોગી, મુનિ, ઋષિ આ મિથ્યા જગતથી દૂર દૂર જંગલમાં, પહાડોમાં ખોવાઈ જતા હતા. અપરિચિત પ્રદેશોમાં ચાલ્યા જતા હતા. અનામી અને અરૂપી આત્માની સાથે તાદાભ્ય સાધવા માટે નામ અને રૂપથી સંબંધ તોડવો જ પડશે.
પ્રાચીન ધર્મગ્રંથોમાં વાંચ્યું હતું, જ્યાં સાધુજીવનની શ્રેષ્ઠ ભૂમિકા બતાવવામાં આવી છે - સાધુ કોઈ ગામમાં જાય અને કોઈ ગૃહસ્થ નામથી, વ્યક્તિત્વથી ઓળખી જાય તો તે એ ગામમાં-નગરમાં રહેતા નહીં. છોડીને ચાલ્યા જતા. દુનિયામાં અપરિચિત થઈને જીવવું એમનું લક્ષ્ય હતું. આત્મસાધકને પરિચય બાધક-ઘાતકઃ
અનામી અને અરૂપી આત્મતત્ત્વની ઓળખાણ કરીને, આત્મરમણતા કરીને [ એકત્વ ભાવના " T T
| ૨૨૫ |