________________
સને ૧૮૭૭માં કરેલ ઠરાવમાંના શબ્દો આપણને બહુ ઉપયોગી થયા હતા. શ્રી પીલે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે – “પાલીતાણાના તાલુકામાં આવેલ ડુંગરની બધી જમીન ધાર્મિક કાર્ય માટે અલગ (Reserved) રાખેલી ગણાશે. અને તે જમીનને હિન્દુ ધર્મ વિરુદ્ધ અથવા ધાર્મિક કાર્ય વિરુદ્ધ કઈ પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. અને મુંબઈ સરકારે પિતાના ઠરાવમાં લખ્યું હતું કે-“હાલ જે મકાન વિદ્યમાન છે તે મકાનના હિતસંબંધ ધરાવનાર શસેના હક્કને બાધ નહિ આવતાં, ડુંગરના કેઈ પણ ભાગનો ઉપયોગ શ્રાવક કેમના સિદ્ધાંત વિરુદ્ધ કરવાની મનાઈ કરવામાં આવે છે. આ બંને ઉલ્લેખો ગિરિરાજ ઉપરના આપણા હક્કોની સાચવણી માટે હમેશને માટે ઉપયોગી થઈ શકે એવા મહત્ત્વના છે. ગ્રેડ, પેનશન તથા ગ્રેજ્યુઈટીનાં ધોરણે
પેઢીના કર્મચારીઓના પગાર અને બીજી સવલતેનાં કાંઈ ધોરણે નહેતાં, જે જરૂરી હોવાથી સને ૧૯૪૭માં પેનશન અને ગ્રેજ્યુઈટીનાં ધોરણે લાગુ કરવામાં આવ્યાં છે અને તેમાં સંજોગો પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે. અને અત્યારે ૧૫ થી ૨૫ વર્ષની પૂરી કરી કરવાથી ઠરાવેલી ટકાવારી પ્રમાણે પેનશન આપવામાં આવે છે અને પેનશન ન લેવું હોય તો ગ્રેજ્યુઈટી આપવામાં આવે છે. એક વર્ષની
1. The entire area of the hill lying within the limits of the Taluka of Palitana to be considered land reserved for religious uses, and to be put to no purpose reasonably objected to as repugnant to the Hindu religion or incompatible with its reservation for religious uses.
– The Palitana Jain Case, p. 64. 2. Without prejudice to the rights of those interested in any existing building, the use of any part of the hill in a manner opposed to the tenets of the Shrawak community is prohibited..
- The Palitana Jain Case, p. 72