SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ?]sܓ݁R ܐܬܟ ܘ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ સામાન્યતો દષ્ટ અનુમાનથી વીતરાગસિદ્ધિ यदप्युक्तम्-'न वीतरागचेष्टा विशेषतो वीतरागप्रतिबद्धा सिद्धा, यस्मादात्मधर्म एव रागाद्यभाव इष्यते, न च स प्रत्यक्षेणावगम्यते' इत्यादि, तदपि दूषयितुमाह - તથા પૂર્વપલે “વીતરાગચેષ્ટા વિશેષરૂપે પણ વીતરાગતાનો પ્રતિબદ્ધ સિદ્ધ નથી, કેમકે રાગાદિનો અભાવ આત્મધર્મતરીકે ઈષ્ટ છે. અને આ આત્મધર્મ પ્રત્યક્ષથી જ્ઞાત ન થઈ શકે. (ગા. ૧૧૪૩-૪૪) ઇત્યાદિ જે કહ્યું તેને હવે દૂષિત કરતાં કહે છે – तप्पडिबद्धं लिंगं न दिट्ठमंधेण ण य तओ नत्थि । आवरियबुद्धिचक्खू पेच्छति कहमायधम्मं तु ? ॥१२०२॥ (तत्प्रतिबद्धं लिंगं न दृष्टमन्धेन न च सको नास्ति । आवृतबुद्धिचक्षुः पश्यति कथमात्मधर्म तु? |) द्वं-वीतरागप्रतिबद्धं लिङ्गं न दष्टमन्धेन-चक्षर्विकलेन, न च तावता अन्धस्यादर्शनमात्रेण 'तओ त्ति' सको वीतरागो नास्तीति निश्चेतुं शक्यते, अतिप्रसङ्गात्, एवं भवानपि ज्ञानावरणीयकर्माणुपटलावृतबुद्धिचक्षुः कथमात्मधर्म रागाद्यभावलक्षणमतीन्द्रियं पश्यति? येन तत्प्रतिबद्धं लिङ्गं जानीयात्, ततो न तव लिङ्गादर्शनमात्रेण तस्याभाव इति । यद्येवं तर्हि कथमक्तं चेष्टातो व्यवहारेण स वीतरागोऽनमीयते, ज्ञाताविनाभावो हि हेतुः साध्यस्य गमको भवति, न सत्तामात्रेण अन्यथा नालिकेरद्वीपवासिनापि धूमदर्शनमात्रादग्निरनुमीयेत, न च चेष्टायाः सन्नपि वीतरा गत्वेन सह प्रतिबन्धो निश्चितो, यथोक्तं प्राक्, ततः कथं तद्दर्शनात्सोऽनुमीयत इति ? नैष दोषः । सामान्यतोदृष्टानुमाननीतितस्तदनुमानोपपत्तेः, यथा गतिमानादित्यो, देशान्तरप्राप्तेर्देवदत्तवदिति। तथाहि-न दिनकरगतिमत्त्वेन देशान्तरप्राप्तिरविनाभूता दृष्टा, अथ च सा तद्गमयति, एवमिह चेष्टापीति। देवदत्ते गतिमत्त्वेन देशान्तरप्राप्तिरविनाभता दृष्टा, तत आदित्येऽपि सा गमयतीति चेत् ? साधसाक्षिण्यपि तर्हि सम्यक्चेष्टा माध्यस्थ्येनाविनाभूता दृष्टेति वीतरागेऽपि सा तद्गमयिष्यतीति समानमेतत्। प्रकर्षप्राप्त माध्यस्थ्येन सह न दृष्टेति चेत्, देवदत्तेऽपि तर्हि न तथा गगनगतिमत्त्वेनाविनाभूता देशान्तरप्राप्तिर्दृष्टेति समानमेवेति ॥१२०२॥ ગાથાર્થ:- ચીન–અંધ પુરુષે વીતરાગને પ્રતિબદ્ધ લિંગ જોયું નથી, પણ અંધ પુરુષે જોયું ન લેવામાત્રથી તે વ્યકિત વીતરાગ નથી તેવો નિશ્ચય કરી શકાય નહીં. કેમકે અંધ પુરુષે ન જોવા માત્રથી ધૂમસ્થળે પણ અગ્નિનો અભાવ માનવારૂપ અતિપ્રસંગ આવે. તે જ પ્રમાણે તમે જ્ઞાનાવરણીયકર્મથી ઢંકાયેલી બુદ્ધિરૂપી આંખવાળા છો. અર્થાત તમારી બુદ્ધિપર જ્ઞાનાવરણીય કર્માંશોનો પરદો આવેલો છે, તેથી તમે શી રીતે રાગાદિઅભાવરૂપ આત્મધર્મ જોઈ શકો-જાણી શકો? ન જ જાણી શકો. તેથી જ તમે તે રાગાદિઅભાવને પ્રતિબદ્ધ લિંગ પણ જાણી શકો નહીં. તેથી જ તમે લિંગ ન જોઈ શકો, તેટલામાત્રથી વીતરાગનો અભાવ આવતો નથી. પૂર્વપક્ષ:- આમ જો જ્ઞાનાવરણીયકર્મથી ઢંકાયેલી બુદ્ધિવાળા હોવાથી અમે રાગાધભાવ અને તેને પ્રતિબદ્ધ લિંગ જોવા સમર્થ નથી, તો તમે કેમ એમ કહ્યું કે “ચેષ્ટાદ્વારા વ્યવહારથી તે વીતરાગનું અનુમાન થાય છે?" અર્થાત્ આમ કહેવું યોગ્ય નથી. કારણ કે હેતનો સાધ્ય સાથેનો અવિનાભાવ જ્ઞાત હેય, તો જ તે હેતુ સાધ્યનો નિશ્ચય કરાવે, હેતુ તેવા જ્ઞાન વિના માત્ર પોતાની હાજરીથી જ સાધ્યનો નિર્ણય કરાવી શકે નહીં. જો હેતુ સત્તામાત્રથી સાધ્યનો ગમક બનતો હોત, તો જેને ધૂમનો અગ્નિસાથેનો અવિનાભાવ ખબર નથી; એવા નાળિયેરદ્વીપવાસીને પણ ધૂમાડાના દર્શન માત્રથી અગ્નિના અનુમાનથી આપત્તિ આવત. આમ હેતુની માત્ર હજરી કે સાધ્ય સાથેના અવિનાભાવના જ્ઞાનરહિત માત્ર હેતનું સ્વરૂપજ્ઞાન સાધ્યન સાધક નથી. તેથી જ તેવી ચેષ્ટાની વીતરાગતાસાથે વ્યાપ્તિ હોવા છતાં જયાં સુધી તે વ્યાપ્તિનો નિર્ણય ન થાય, ત્યાં સુધી એ ચેષ્ટાના દર્શનમાત્રથી શી રીતે વીતરાગતાનું અનુમાન થશે? ઉત્તરપક્ષ:- અહીં કોઈ દોષ નથી. સામાન્યતોદષ્ટઅનુમાનની નીતિથી તે અનુમાન યુક્તિસંગત નીવડશે, જેમકે સૂર્ય ગતિમાન છે, કેમ કે દેશાજરની પ્રાપ્તિ છે, જેમ કે દેવદત્ત. અહીં સૂર્યની ગતિમત્તા સાથે દેશાન્તરપ્રાપ્તિનો અવિનાભાવ દૃષ્ટ નથી. છતાં આ દેશાત્તરપ્રાપ્તિ સૂર્યની ગતિમત્તાનું બોધક બને છે. એ જ પ્રમાણે અહીં પણ ચેષ્ટા વીતરાગનું ગમક બને. સૂર્યની ગતિ પૂર્વે જોઈ નથી, તેથી દેશાત્તરપ્રાપ્તિરૂપ હેતલિંગ સાથે તેનો અવિનાભાવ દષ્ટ નથી, પરંતુ દેવદત્તાદિ અન્યોમાં દેશાન્તરપ્રાપ્તિનો ગતિસાથે અવિનાભાવ સુદેષ્ટ છે, તેથી તેના આધારે અહીં દેશાન્તરપ્રાપ્તિ જોવાથી સૂર્યની ગતિનો નિર્ણય જે થાય તે સામાન્યતોદષ્ટઅનુમાનરૂપ છે. એ જ પ્રમાણે વીતરાગતા અતીન્દ્રિય લેવાથી અગમ્ય છે, તેથી ચેષ્ટા સાથે અવિનાભાવ સીધો જ્ઞાત થતો નથી. પરંતુ અન્ય સ્થળે તેવી-તેવી ચેષ્ટા સાથે તેવા-તેવા આંતરિકભાવોનો સંબંધ ગમ્ય બને છે, તેથી તેના આધારે તેવા અવિનાભાવનો નિર્ણય કરી વીતરાગતાસાથે પણ તદનુરૂપ ચેષ્ટાનો અવિનાભાવ સિદ્ધ થઈ શકે, અને તેના બળે તેવી ચેષ્ટાવાળી વ્યક્તિમાં “સામાન્યતોદષ્ટ અનુમાનના બળે વીતરાગતાનો નિર્ણય કરી શકાય.) * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ -ભાગ ૨ - 271 * * * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy