________________
—
—
—
—
—
—
—
अह सा ण वत्थुधम्मो ण तई ता तस्स घडणिवित्तीए ।
जह वत्तमाणसमए सगडस्स निवित्तिसुन्नं वा ॥ ४६५ ॥ (अथ सा न वस्तुधर्मो न सका ततस्तस्य घटनिवृत्तौ । यथा वर्तमानसमये शकटस्य निवृत्तिशून्यं वा)
अथ सा-घटादिनिवृत्तिन वस्तुधर्मोऽभ्युपगम्यते किंत्वेकान्ततुच्छरूपा तत्राह-'न तई ता तस्सत्ति' न 'ता' ततः 'तइ ति सका घटादिनिवृत्तिस्तस्य-घटादेः संबन्धिनी प्राप्नोति, वस्त्ववस्तुनोः संबन्धाभावात्, तादात्म्यस्य तदुत्पत्ते वस्तुद्वयाधिष्ठानत्वात् । अत्रैव दृष्टान्तमाह-'घडेत्यादि यथा घटनिवृत्तौ सत्यां वर्तमानसमये-विवक्षितसमये शकटस्य रिवृत्तिर्न घटसंबन्धिनी भवति, तादात्म्यादेः संबन्धस्याभावात्, तद्वदियमपि न तत्संबन्धिनी स्यात्। मा भूत् को दोष इति चेत्, तदयुक्तम्, एवं सति घटस्य नाशो विनष्टो घट इति प्रतिप्राणिप्रसिद्धतादात्म्यसंबन्धनिबन्धनव्यवहारविलोपप्रसङ्गात्। नन्वयं दोषो भवत्पक्षेऽप्यपरिहार्य एव, साहि-घटादिनिवृत्तिरुत्पाद्यकपालादिवस्तुस्वभावरूपा। तदुक्तम् 'तस्सभावओ न तओ एणतेणाभावो 'इति, न च तदानीं घटो विद्यते, निवृत्तत्वादन्यथा कपालाद्यनुत्पत्तेः, तत्कथं घटादितन्निवृत्त्योस्तादात्म्यलक्षणः संबन्धः? येन 'घटस्य नाश' इत्यादिको व्यवहार उपपद्येतेति। उच्यते, इह घटवस्त्वेव कपालरूपतया परिणमति, सतः सर्वथाविनाशस्यात्यन्तासत उत्पादस्य चायोगात्, ततः कथंचिदवस्थितस्य घटवस्तुनः समुत्पद्यमानकपालपर्यायेण सह तादात्म्योपपत्तौ तत्स्वभावरूपया घटनिवृत्त्याऽपि सह तस्य तादात्म्यमुपपद्यत एव । स्यादेतत्, मृद्रव्यमेव न निवर्तते घटपर्यायवस्तु सर्वात्मना निवर्तत एव, तत्कथं तस्य तन्निवृत्त्या सह तादात्म्यं घटत તિ? વૈષ હોય, મૃદ્રવ્યવત્ તથાપિ ચંચનવર્ણનાત્, તથા પ્રત્યક્ષતોનુમવાન્ | ઇથ-િપટલાનિ केवलान्यपि दृष्ट्वा लोकस्तगतोर्खाद्याकारानुवृत्तिदर्शनात् 'घटस्यामूनि कपालानि न शरावादीनामिति' विवेचयन् दृश्यत इति । उक्तं च-'तम्मि य अणियत्तंते न नियत्तइ सव्वहा सो वित्ति' । घटादिनिवृत्तेर्वस्तुधर्मत्वानभ्युपगम एव दोषान्तरमाह- 'सुन्नं वा' इति, यदि हि घटादिनिवृत्तिरेकान्तेन तुच्छरूपा स्यात् ततो न घटादनन्तरमेव कपालोत्पत्तिर्भवेत्, किंतु शून्यं, न चैतदुपलभ्यते, निर्व्यवधानं घटात् कपालोत्पत्तेर्दर्शनात्। तस्मादियं घटादिनिवृत्ति:- - - - - - - - - - - - -
ગાથાર્થ :- (બૌદ્ધ) અમે ઘડાવગેરેની નિવૃત્તિને વસ્તુધર્મ રૂપે સ્વીકારતા નથી, પરંતુ એકાન્તતુચ્છરૂપે સ્વીકારીએ છીએ.
ઉત્તરપક્ષ :- તો એ ઘડાઆદિની નિવૃત્તિને ઘડાવગેરેસાથે કોઈ સંબંધ નથી. કારણકે વસ્તુ અને અવાસ્તુ(=અસત) ને કોઈ સમ્બન્ધ હોતો નથી. કારણકે તેમને માન્ય તાદાભ્ય–તદુત્પત્તિરૂપ બને સમ્બન્ધો સંબંધિત બે વસ્તુમાં જ રહે છે (નહિ કે એક વસ્તુમાં અને એક અવસ્તુમાં.) તેથી જેમ આ વિવક્ષિતસમયે ઘડાની નિવૃત્તિ વખતે ગાડાની નિવૃત્તિને ઘડાસાથે કોઈ સંબંધ નથી, કારણકે તાદામ્યવગેરે સંબંધ નથી, તેમ આ ઘટનિવૃત્તિને પણ ઘડાસાથે કોઈ લેવાદેવા રહેશે નહિ. કેમકે કોઈ સંબંધ નથી.
શંકા :- ભલેને ઘટનિવૃત્તિને ઘડા સાથે સંબંધ ન હો... શું વાંધો છે ?
સમાધાન :- શું વાંધો છે ? એમ પૂછો છો ? ભલા.... ઘડા અને તેની નિવૃત્તિ વચ્ચેના તાદામ્યસંબંધના કારણે દરેક પ્રાણી “ઘડાનો નાશ થયો “ઘડો નષ્ટ થયો એવો જે વ્યવહાર કરે છે, તે વ્યવહારના મૂલમાં જ આગ ચંપાઈ જશે. અર્થાત વ્યવહારલોપનો પ્રસંગ છે.
બૌદ્ધ :- આવો દોષ તો તમારા મતે પણ અપરિહાર્ય જ છે. જૂઓ - તમારામતે ઘડાની નિવૃત્તિ ઉત્પન્ન કરાતા કપાલરૂપ વસ્તુના સ્વભાવરૂપ છે. ધું જ છે, “તસ ભાવઓ ન તઓ, એગણાભાવો (ગા.૪૬૦) (તનો સ્વભાવ હોવાથી તેનો એકાતે અભાવ નથી.) હવે આ વખતે(ઘટનાશવખતે) ઘડો વિદ્યમાન નથી, કારણકે નિવૃત્ત થયો છે. નહિતર તો, કપાલ ઉત્પન્ન ન થાત. આમ ઘનિવૃત્તિકાળે ઘડો સ્વયં નિવૃત્ત હોવાથી અસત્ છે. આ ઘટનિવૃત્તિ કપાલના સ્વભાવરૂપ હોઈ સત્ છે. તો અહી ઘટ-ઘટનિવૃત્તિ વચ્ચે તાદાભ્યસમ્બન્ધ શી રીતે ઘટી શકે? કે જેથી “ઘડાનો નાશ થયો વગેરે વ્યવહાર સંગત ?
ઉત્તરપક્ષ :- અમારા મતે ઘડો સર્વથા નિવૃત્ત નથી, પરંતુ કપાલરૂપે પરિણામ પામે છે, કારણકે “સનો એકાંતે નાશ અને તદ્દન અસત્ની ઉત્પત્તિ ક્યારેય સંભવે નહિ કથંચિત્ અવસ્થિત ઘડાનો ઉત્પન્ન થતાં કપાલપર્યાયસાથે તાદાસ્યભાવ સુસંગત છે. અને ઘટનિવૃત્તિ કપાલનો સ્વભાવ છે. અને સ્વમ સ્વભાવ/સ્વભાવવચ્ચે કથંચિત્ અભેદ છે. તેથી કપાલની જેમ કપાલના સ્વભાવભૂત ઘનિવૃત્તિનો પણ ઘટસાથે તાદાસ્યસમ્બન્ધ સુસંગત જ છે.
બૌદ્ધ :- તમારા મતે ઘડો પણ પર્યાય છે. દ્રવ્યતરીકે તો માટી જ છે. એ માટી દ્રવ્ય જ ભલે નિવૃત્ત ન થાય. પણ ઘટપર્યાય તો સર્વથા નિવૃત્ત થાય જ છે. તેથી અસત્ થયેલા એ ઘટપર્યાયસાથે ઘનિવૃત્તિનો તાદાભ્યસંબંધ સંગત કરે નહિ.
ઉત્તરપક્ષ :- આ કોઇ દોષ નથી. કારણકે માટીદ્રવ્યની જેમ ઘટપર્યાય પણ કથંચિત્ અનિવૃત્ત જ છે. (કારણકે માટી દ્રવ્યથી તે કથંચિત્ અભિન્ન છે.) ઘડાની કથંચિત્ અનિવૃત્તિ પ્રત્યક્ષથી અનુભવાય છે. ઘડાના કપાલો એક્લા પડ્યા હોય, તો પણ તે જોઈને, ઘડામાં રહેલા ઉર્ધ્વઆકારવગેરે ધર્મોની અનુવૃત્તિના દર્શનથી લોકો “આ કપાલો ધડાના છે કોડીયાના નથી એવું વિવેચન કરતાં દેખાય જ છે. કહ્યું જ છે કે તfખ જ મળિયત્તતે ર (ગા. ૩૪૭ તેની અનિવૃત્તિમાં સર્વથા નિવૃત્ત થતો નથી.) ઇત્યાદિ તેથી ઘટ-ઘટનિવૃત્તિના તાદામ્યમાં કોઈ દોષ નથી. વળી, જો ઘડાવગેરેની નિવૃત્તિને વસ્તુધર્મરૂપે સ્વીકારશો નહિ, તો એક બીજો દોષ પણ છે. જો ઘડાવગેરેની નિવૃત્તિ એકાન્ત તુચ્છરૂપ જ હોય, તો ઘડાની તરત ઉત્તરમાં કપાલની ઉત્પત્તિ થાય નહિ. પરંતુ શુન્ય જ રહે. પણ તેમ દેખાતું નથી. કારણકે ઘડાની તરત ઉત્તરમાં(=વ્યવધાન વિના) કપાલની ઉત્પત્તિ થતી દેખાય છે. તેથી ઘડાની આ નિવૃત્તિ સર્વથા તુચ્છરૂપ નથી, પરંતુ ઉત્પન્ન કરાતા કપાલવગેરે વસ્તુના સ્વભાવરૂપ છે. આમ આ નિવૃત્તિ પણ સત્-વસ્તુરૂપ છે. તેથી તેમાં ભવનધર્મ(=ઉત્પત્તિધર્મ) સંભવે છે. તેથી જ તેને ઉત્પન્ન કરવાઅંગે કારઅર્થોનો વ્યાપાર થાય તે અસંભવિત નથી. (અહીં કોક જૈનમતઅંગે વિકૃત લ્પના કરી ખંડન કરવાની બાલિશચેષ્ટા કરે છે તે દર્શાવી તેનું ખંડન દર્શાવે છે.)
ધર્મસંગ્રહણિ ભાગ-૧
૨૫૫