________________
तथाऽत्यन्तासत उत्पादायोगात्, खरविषाणस्याप्युत्पत्तिप्रसङ्गात् । अथोच्येत विवक्षितं कारणं विवक्षितकार्यजननस्वभावमेव न तु खरविषाणजननस्वभावमपि तत्कथं तस्याप्युत्पत्तिप्रसङ्ग इति, तदप्ययुक्तम्, कार्यकाले कारणस्य निरन्वयविनष्टतया तदव्यतिरिक्तस्य तज्जननस्वभावस्याप्यभावेनोभयत्रापि विशेषाभावात् । तन्न पिण्डमृदः सर्वथाऽन्यैव घटमृदित्यनुयायिनी मृत्, ततः पर्यायव्यतिरिक्तस्य द्रव्यस्योपलब्धिलक्षणप्राप्तस्यानुपलक्षणमसिद्धमितिस्थितम् । एवं च सति यदवादीत् - " पर्यायेष्वेव तुल्यरूपकार्यकर्तृषु द्रव्याभिमानो मन्दमतीनां न पुनस्तत्त्वतो विलक्षणमुपलक्ष्यते इति" तत्तस्यैव मन्दमतितासूचकम्, उक्तवत्तदनुपलम्भासिद्धेः । योऽपि च प्राक्कार्यभेदो दर्शितो, यथा-- "घटेनोदकाहरणं क्रियते रूपादिभिस्तु वस्तुराग इति" सोऽपि परसिद्धान्तात्यन्तानभिज्ञतासूचको, न ह्येवमार्हतैर्द्रव्यपर्याययोः कार्यभेदोऽभ्युपगम्यते, घटस्योत्कलितरूपादिगुणानां च तत्परमाणूनां प्रत्येकं द्रव्यपर्यायस्वभावतयो भयरूपस्यैव वस्तुन उदकाहरणवस्तुरागादिक्रियासु प्रवृत्तेः, किंतु संवेदनादिलक्षणः, ૧૨ પ્રતિપ્રાપ્યનુભવસિદ્ધત્વાવપ્રતિક્ષેપાર્ડ, ફ્રિ--રેશાન્તરે-વ્હાલાન્તરે-નાસ્તો-અવસ્થાનો ૨ મૃત્વિઽશિવસ્થાતकोशकुशूलघटकपालादिष्वविशेषेण सर्वत्रानुवृत्तस्य मृदन्वयस्य संवेदनमनुभूयते, प्रतिभेदव्यवस्थितपर्यायव्यावृत्तिसंवेदनं च । न चेदमसिद्धं, यतो न यथाप्रतिभासं मृत्पिण्डसंवेदनं तथाप्रतिभासमेव शिवकसंवेदनमाकारभेदानुभवात् । न च यथाप्रतिभासभेदमेव तद्विजातीयेषु दहनपवनवनस्पत्यादिषु तथाप्रतिभासभेदमेव मृत्पिण्डशिवकादिषु, मृदूपान्वयानुभवादिति कृतं प्रसङ्गेन । तदेवं जात्यन्तरात्मकभेदाभेदपक्षः सकलदोषविनिर्मुक्तत्वात्सद्वादो न केवलभेदाभेदवादाविति स्थितम् ॥ ३४१॥ अत्र परश्चुचोदयिषुरिदमाह-
ઘટ, કપાલ આપિ બધી જ અવસ્થાઓમાં પ્રત્યક્ષથી ઉપલબ્ધ થાય છે. એમ નહિ કહેવું કે “મૃત્પિણ્ડાદિમાં રહેલી માટી અન્ય હતી, અને અત્યારે ઘડાવગેરેમાં ઉપલબ્ધ થતી માટી અન્યરૂપ જ છે.” કારણકે સત વસ્તુનો સર્વથા વિનાશ થતો ક્યારેય દેખાતો નથી. તેથી મૃત્પિર્ણાગત માટીનો સર્વથા વિનાશ ન માનતા ઉત્તર ઉત્તરની અવસ્થામાં અન્વય સ્વીકારવો યુક્તિસંગત છે.
શંકા :- સત્ નો સર્વથા વિનાશ ન થાય' એવા નિયમમાં પ્રદીપજ્યોત અનૈકાન્તિક્તાનું આપાદન કરે છે. કેમકે પ્રત્યેક ક્ષણે પૂર્વ-પૂર્વની જ્યોતનો સર્વથા વિનાશ થતો દેખાય છે.
સમાધાન : આ જ્યોતનો સર્વથા વિનાશ થતો નથી. કેમકે અહીં પણ અંધકારવગેરે(પ્રકૃતિશબ્દથી કાજળવગેરે) વિકાર દેખાય જ છે. જ્યોત સ્વયં તે ઉત્તરપર્યાયને પામે છે. આ જ પ્રમાણે ખપુષ્પવત્ અત્યન્ત અસની ઉત્પત્તિ સંભવે નહિ. અન્યથા ગધેડાના શિંગડાની ઉત્પત્તિનો પણ પ્રસંગ આવે. તેથી ઘટાદિગત માટીને પૂર્વે અત્યન્તઅસત્ સ્વીકારી પછી તેની ઉત્પત્તિ માનવા કરતા, પૂર્વીયમાટીનો જ અન્વય સ્વીકારવો યોગ્ય છે. કારણકે દૃષ્ટ પણ તેમ જ છે. યુક્તિઆદિથી ઇષ્ટ પણ તે જ છે.
શંકા :- તે-તે અભિપ્રેત કારણ તે-તે અભિપ્રેત કાર્ય ઉત્પન્ન કરવાનો સ્વભાવ ધરાવે છે. તેથી અત્યન્તઅસત્ ઘટઆદિ માટી ઉત્પન્ન થઈ શકે. કોઇપણ કારણ ગધેડાના શિંગડાને ઉત્પન્ન કરવાનો સ્વભાવ ધરાવતું નથી. તેથી તેવા સ્વભાવના અભાવમાં ગધેડાના શિંગડા ઉત્પન્ન થવાનો પ્રસંગ જ ક્યાંથી આવશે ?
સમાધાન :- આ વાત બરાબર નથી. તમારા મતે તો કાર્યકાળે કારણ સર્વથા વિનાશ પામ્યું હોવાથી કારણથી અભિન્ન કારણનો તેવો કાર્યજનનસ્વભાવ પણ નષ્ટ થશે. આમ કાર્યકાળ તો કારણના તે—તે જનનસ્વભાવોનો અભાવ બને સ્થાને (ગધેડાના શિંગડા અને ઘડાન સ્થાને) તુલ્ય જ છે. તેથી અત્યન્ત અસત્ત્ની ઉત્પત્તિ સ્વીકારવામાં ગધેડાના શિંગડાની ઉત્પત્તિની આપત્તિ ઉભી જ છે. તેથી ઘટમાટીથી પિણ્ડમાટી સર્વથા ભિન્ન જ છે, તે વાત ખોટી છે. તેથી માટીવગેરે દ્રવ્યો અન્વયી સિદ્ધ થાય છે. તેથી ‘પર્યાયથી ભિન્ન દ્રવ્ય ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હોવા છતાં ઉપલબ્ધ થતું નથી” તે વાત અસિદ્ધ નિશ્ચિત થાય છે. તેથી જ બીજાઓ જે હે છે કે - “તુલ્યરૂપે કાર્ય કરતા પર્યાયોમાં જ અલ્પબુદ્ધિવાળાઓને દ્રવ્યની મિથ્યબુદ્ધિ થાય છે. પરંતુ વાસ્તવમાં પર્યાયથી વિલક્ષણ દ્રવ્ય ક્યારેય ઉપલક્ષિત થતું નથી.” તે તેઓની જ અલ્પબુદ્ધિનું સૂચક છે. કેમકે ઉપર બતાવ્યું તેમ દ્રવ્યની વિલક્ષણરૂપે ઉપલબ્ધિ અસિદ્ધ નથી.
(દ્રવ્ય-પર્યાય–ઉભય યિામાં પ્રવૃત્ત)
તથા પૂર્વે પૂર્વપક્ષકારે દ્રવ્ય-પર્યાયવચ્ચે કાર્યભેદ દર્શાવ્યો કે “ઘડાથી પાણી લાવવાની ક્રિયા થાય છે જ્યારે રૂપવગેરે થી વસ્તુરાગ થાય છે.” પૂર્વપક્ષકારની આ વાત પણ પર(-જૈન)સિદ્ધાન્તઅંગે તેઓની અત્યંત અજ્ઞાનતાને જ છતી કરે છે. જૈનો દ્રવ્ય પર્યાયવચ્ચે આવો કાર્યભેદ સ્વીકારતા જ નથી. જૈનમતે ઘો અને તેના ઉદ્ભુતરૂપવગેરે ગુણોવાળા પરમાણુઓ આ પ્રત્યેક, દ્રવ્ય–પર્યાયઉભયસ્વભાવવાળા છે. તેથી દ્રવ્યપર્યાયઉભયાત્મક વસ્તુ જ પાણી લાવવું અને વસ્તુરાગવગેરે ક્રિયામાં પ્રવર્તે છે. આમ જૈનમતે પૂર્વોક્ત કાર્યભેદ ઇષ્ટ નથી, પણ સંવેદનઆદિરૂપ ભેદ ઇષ્ટ છે. અને આ બધાને અનુભવસિદ્ધ હોવાથી દૂષણ દેવા યોગ્ય નથી. જૂઓ → દેશાન્તરમાં–કાળાંતરમાં–પુરુષાન્તરમાં–અવસ્થાન્તરમાં, આ દરેકમાં મૃતપિણ્ડ, શિવક, સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ, કપાલવગેરે બધામાં અનુવૃત્તિ પામતા માટીનાં અન્વયનું સંવેદન થાય છે. (ભિન્નદેશમાં રહેલા, અને ભિન્ન કાળમાં રહેલા જૂદા જૂદા પુરુષોને કે એક જ પુરુષને જૂદી જૂદી અવસ્થાવખતે પણ ઉપરોક્ત બંધામાં માટીના અન્વયનું સંવેદન થાય છે.) તે જ પ્રમાણે તે જ માટીના પિણ્ડઆદિ દરેક ભેદમાં નિશ્ચિતરૂપે રહેલા પર્યાયભેદનું પણ સંવેદન થાય છે. અને આ અસિદ્ધ પણ નથી. કારણ કે મૃતપિણ્ડનું સંવેદન જેવા પ્રતિભાસવાળું છે, તેવા જ પ્રતિભાસવાળું શિવકનું સંવેદન નથી. કારણકે બન્નેનાં બોધના આકારમાં સ્પષ્ટભેદનો અનુભવ થાય છે. છતાં, આ પ્રતિભાસનો ભેદ તેવો તો નથી જ, જેવો અગ્નિ, પવન, વનસ્પતિવગેરેમાં માટીઆદિથી પ્રતિભાસનો ભેદ છે. કારણકે અગ્નિવેગેરેમાં માટીનું અન્નયરૂપ નથી, જ્યારે પિણ્ડવગેરેમાં માટીરૂપ દ્રવ્યનો અન્વય અનુભવાય છે. (એક અન્વયી દ્રવ્યના બે પર્યાયમાં ભેદ ભાસે છે. પણ તે ભેદ ભિન્નદ્રવ્યના પર્યાયથી ભાસતા ભેદ કતાં વિલક્ષણ છે. આ વિલક્ષણતા દ્રવ્યના અન્વયિપણાને કારણે છે.) આ બાબતમાં પ્રસંગથી સર્યું. આમ, જાત્યન્તરરૂપ ભેદાભેદપક્ષ સઘળાય દોષોથી વિમુક્ત છે. તેથી ભેદાભેદપક્ષવાદ જ સાદ છે, નહિ કે માત્ર ભેદવાદ અને માત્ર અભેદવાદ, તેમ નિશ્ચય થાય છે. ૫૩૪૧ાા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૧૪