________________
wwwhommonoahmbhoooooooooooooooooooo શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થhote નીચે પ્રમાણે જણાવે છે કે
શ્રીપુરનગરના આભૂષણ સમાન પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને અંતરિક્ષમાં આકાશમાં અદ્ધર) રહેલી તેમની પ્રતિમાના કલ્પને કંઈક કહું છું -
પૂર્વે લંકાનગરીના રાજા પ્રતિવાસુદેવ રાવણે માલિ અને સુમાલિ નામના પોતાના સેવકોને કોઈક કારણસર કોઈક સ્થળે મોકલ્યા હતા. વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતાં તેમને વચમાં જ ભોજનનો અવસર થયો. વિમાનમાં બેઠેલા ફૂલમાળી નોકરને ચિંતા થઈ કે “આજે ઉતાવળમાં હું જિનપ્રતિમાના કરંડિયાને ઘેર જ ભૂલી ગયો છું અને આ બંને પુણ્યવાનો જિનપૂજા ર્યા સિવાય કયાંયે પણ ભોજન કરતા નથી.
જ્યારે તેઓ પૂજાના અવસરે પ્રતિમાનો કરંડિયો નહીં જુએ ત્યારે નક્કી મારા ઉપર કોપાયમાન થશે આ ચિંતાથી તેણે વિદ્યાબળથી પવિત્ર વાલુકા (વાળુ-રેતી) ની ભાવજિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક નવી પ્રતિમા બનાવી. માલિ અને સુમાલિએ પણ તે પ્રતિમાની પૂજા કરીને ભોજન કર્યું. પછી જ્યારે તેઓ ફરીથી આકાશમાર્ગે ચાલવા લાગ્યા તે વખતે ફૂલમાલી નોકરે તે પ્રતિમાને નજીકમાં રહેલા કોઈ સરોવરમાં પધરાવી. પ્રતિમા દેવીપ્રભાવથી સરોવરમાં અખંડિત જ રહી કાલક્રમે તે સરોવરનું પાણી ઘટી ગયું અને તે નાના ખાબોચિયા જેવું દેખાતું હતું.
આ બાજુ કાલાંતરે વિંગઉલ્લી (વિંગોલી-હિંગોલી) દેશમાં હિંગલ્લ નામનું નગર છે, ત્યાં શ્રીપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજા સર્વાગે કોઢના વ્યાધિથી પીડાતો હતો. એક વખત શિકાર માટે તે બહાર ગયો હતો, ત્યાં તરસ લાગવાથી શ્રી અંતરિક્ષજીની પ્રતિભાવાળા તે ખાબોચિયા પાસે અનુક્રમે આવી પહોંચ્યો. ત્યાં પાણી પીધું અને હાથ મોં ધોયા તેથી રાજાના હાથ-મોં નીરોગી અને કનક જેવી કાંતિવાળા થઈ ગયા. ત્યાંથી રાજા ઘેર ગયા પછી જોતાં આશ્ચર્ય પામવાથી રાણીએ પૂછ્યું કે-સ્વામી! તમે આજે કોઈ સ્થળે સ્નાન વગેરે કર્યું છે? રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી. રાણીએ વિચાર કર્યો કે