SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચન્દ્રસૂરિ 79 ગચ્છો ઉત્પન્ન થઈને જુદા જુદા નામોથી પ્રસિદ્ધ થયા છે. તેમાંનો જ હેમચન્દ્રસૂરિનો પૂર્ણતલ્લ ગચ્છ પણ એક અવાન્તર ગચ્છ છે. - કુમારપાલ ચરિત્ર મહાકાવ્ય અને બીજા ગ્રન્થો ઉપરથી હેમચન્દ્રની ગુરુ પરમ્પરા નીચે મુજબ જાણવામાં આવી છે – કોટિગણ-વશ્વશાખા શ્રી દત્તસૂરિ યશોભદ્રસૂરિ પ્રદ્યુમ્નસૂરિ ગુણસેનસૂરિ દેવચન્દ્રસૂરિ હેમચન્દ્રસૂરિ રામચન્દ્રસૂરિ મુનિ સોમચન્દ્રના કાશ્મીર ગમન પ્રસંગે પ્રબન્ધમાં જણાવ્યું છે કે “સોમચન્દ્ર ખંભાતથી પ્રસ્થાન કરીને તેઓ રેવતાવતાર નામના નેમિ ચૈત્યમાં ઠર્યા', આ “રેવતાવતાર તીર્થ” નો પાછલા લેખકોએ ‘ગિરનાર તીર્થ એવો અર્થ લીધો અને સોમચન્દ્રને ગિરનાર સુધી પહોંચાડ્યા છે અને ત્યાં પદ્મિની સ્ત્રીના સાંનિધ્યમાં મંત્રારાધન કર્યાનું વર્ણન કર્યું છે, આ એક ગેરસમજ છે, ખરી વાત તો એ જ છે કે “રવતાવતાર' નામનું નેમિ ચૈત્ય ખંભાતની પાસે હતું, જેમાં ખંભાતથી વિહાર કરીને સોમચન્દ્ર પહેલું મુકામ કર્યું હતું અને રાત્રિ સમયે ધ્યાનમાં સરસ્વતીનો સાક્ષાત્કાર થયો હતો. આ પ્રબન્ધમાં બીજી પણ અનેક વાતો વિચારણીય છે અને તે ઉપર લખવાની આવશ્યકતા પણ છે; છતાં સમયાભાવથી આની કે બીજા પ્રબન્યોની પ્રત્યેક વાતોની આ પર્યાલોચનામાં ચર્ચા કરી નથી. મુ કવરાડા, (મારવાડ) ) તા. ૧૧-૮-૧૯૩૧ મુનિ કલ્યાણ વિજ્ય
SR No.006031
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri, Jaydarshanvijay
PublisherJinagna Prakashan
Publication Year2008
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy