________________
મહાવાક્યો ૧૦૦ મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું. ૧૦૧ હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાખ્યું નથી. ૧૦૨ નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. ૧૦૩ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આર્વિભાવ કરવું જોઈએ.
૧૦૪ બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજો.
૧૦૫ પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ—એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો !
૧૦૬ ગજસુકુમારની ક્ષમા અને રાજેનતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. ૧૦૭ ભોગ ભોગવતાં સુધી (જયાં સુધી તે કર્મ છે ત્યાં સુધી) મને યોગ જ પ્રાપ્ત રહો ! ૧૦૮ સર્વ શાસ્ત્રનું એક તત્ત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહંપદ નથી. ૧૦૯ ન્યાય મને બહુ પ્રિય છે. વરની શૈલી એ જ જાય છે, સમજવું દુર્લભ છે. ૧૧૦ પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યફદર્શન છે. ૧૧૧ ભર્તુહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે.
૧૧૨ કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળાં ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે.
૧૧૩ તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. ૧૧૪ શિથિલ બંધ દૃષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (- જો નિર્જરામાં આવે તો.) ૧૧૫ કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. ૧૧૭ દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો જમાવે છે. ૧૧૭ અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. ૧૧૮ તું સન્દુરુષનો શિષ્ય છે. ૧૧૯ એ જ મારી આકાંક્ષા છે. ૧૨૦ મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. ૧૨૧ કોઈ રાજેમતી જેવો વખત આવો. ૧૨૨ સપુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. ૧૨૩ સંસ્થાનવિચ ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. ૧૨૪ આત્મા જેવો કોઈ દેવ નથી. ૧૨૫ કોણ ભાગ્યશાળી ! અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરતિ ? ૧૨૯ કોઈની આજીવિકા તોડશો નહીં.