________________
૧૯૯
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આવ્યંતર પરિણામ અવલોકન-હાથનોધ ૧
સહજ
જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે.
તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે.
તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે.
હમણાં જ આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે.
તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો આ કાળનો ક્ષયોપશમી પુરુષ છે.
તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે.
તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જોકે તીક્ષ્ણ ઉપયોગ-વાળો છે; તથાપિ તે તીણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી.
કાયાનું નિયમિતપણું. વચનનું સ્યાદ્વાદપણું. મનનું ઓદાસીન્યપણું. આત્માનું મુક્તપણું. (આ છેલ્લી સમજણ.)
સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ.
એ જ સ્થિતિ એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તો કલ્પના કરી બીજી વાટ લો. યથાર્થ જોઈતો હોય તો આ લો .
દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પાયે અહિતનું કારણ થતું નથી.
એટલું જ શોધાય તો બધું પામશો; ખચીત એમાં જ છે. મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માનો.
એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે.