________________
પ્રથમ નયસારને ભવ...
૧૩
ચઢયા, સુધાતૃષા વગેરે પરીસહે સહન કરવાને પ્રસંગ અમને પ્રાપ્ત થયો, તેનું અમારા દિલમાં જરાય દુઃખ નથી, પરંતુ અમારા સમુદાયના સાધુઓ અમારી ચિંતા કરી રહ્યા હશે એ બાબતનું અમારા દિલમાં દુઃખ છે. નયસારે એ મુનિવરોને કહ્યું “ગુરુદેવ આપ યંગ્ય ભિક્ષા ગ્રહણ કરી અમને સુપાત્ર દાનનો લાભ આપે, આપ માર્ગ ભૂલ્યા અને આ અટવીમાં અનેક કાંટા કાંકરાના કષ્ટ સહન કરવા પડયા એ યદ્યપિ ઠીક નથી થયું એમ છતાં અમારૂં તે આજે અહોભાગ્ય જગ્યું કે આવા જંગલ પ્રદેશમાં આપ જેવા તારક પૂજ્ય મુનિવરના પવિત્ર દર્શનને અને સુપાત્રદાનને અને લાભ મળે. કૃપાળુ ! આપ યંગ્ય ભિક્ષા ગ્રહણ કરી આપની સાધુ ધર્મની મર્યાદા પ્રમાણે આપ આહાર વાપરવાનો ઉપયોગ કરી લે. અમે પણ ભેજન કરી લઈએ પછી આપને જે ગામ જવું છે અને આપના સાધુઓ જે તરફ ગયા છે ત્યાં આપને અમે ભેગા કરી દઈએ.
નવસારને મુનિવરે બતાવેલ ભાવ માર્ગ
ગૃહસ્થ જીવનમાં સાધુ સંત પ્રત્યે કેવું બહુમાન અને અંતરને આદર હોવું જોઈએ. તેનું આ અનુપમ દૃષ્ટાંત છે. આજે તે વિહાર કરીને સાધુઓ કઈ શહેર અથવા ગામમાં પધારે, જિનાલય કે ઉપાશ્રયના અજાણ સાધુ કપાળમાં પીળે ચાંલ્લે દેખી રસ્તામાં મળતાં અથવા દુકાને બેઠેલા શ્રાવકને પૂછે કે “ભાઈ ! ઉપાશ્રય-દેરાસર કઈ બાજુ આવ્યાં?’ જવાબમાં પેલા ભાઈ કહી દે કે-સીધા ચાલ્યા જાઓ, ડું