________________
૧૨
શ્રમણ ભગવાન મહાવીર
જાણે ચારેય બાજુ માર્ગ શોધી રહેલા હોય તેવા તપસ્વી મુનિવરોને દૂરથી દેખ્યા. મુનિદર્શન થતાં નયસાર એ દિશામાં સામે ચાલી મુનિવરેની પાસે પહોંચી તે પવિત્ર આત્માઓના ચરણમાં ઝુકી પડયા મુનિવરોએ પણ ધર્મલાભના મંગળ ઉચ્ચારણ દ્વારા શુભાશિષ સમર્પણ ક્ય. નયસારની વિનંતીથી મુનિવરે જે સ્થાને અન્ય સેવકે ભજનની તૈયારીમાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા. નયસાર તેમજ તેના સેવકેનાં હૈયામાં નિરવધિ આનંદ પ્રગટ થયે. ઘરના આંગણે સાધુસંતની ભક્તિને લાભ મળતાં જે આનંદ પ્રગટે તે અપેક્ષાએ આવા નિજન-વિકટ અટવીનાં પ્રદેશમાં સાધુમુનિવરની ભકિતને લાભ પ્રાપ્ત થતાં ઉત્તમ આત્માને જે આનંદ પ્રગટે તે અવર્ણનીય હોય છે. સર્વ સેવકોએ મુનિવરોને વંદન કર્યું એટલે મુનિરાજે પણ સર્વને “ધર્મલાભ આપ્યા.
નયસારે કરેલ મુનિવરેનું ભક્તિ-બહુમાન
મુનિવરે ગ્ય આસને બિરાજમાન થયા બાદ નગ્મા તેઓને પૂછયું. કૃપાળુ ! આવા વિકટ પ્રદેશમાં આ૫ કયાંથી આવી ચઢયા?” મુનિવરે બોલ્યા. “મહાનુભાવ! વિશાલ સાધુ સમુદાય સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરીને જતાં જરા પાછળ રહી જવાને કારણે માર્ગ ભૂલી જવાય માર્ગ શોધવા માટે પ્રયાસ કરવા છતાં જે ગામ જેવું હતું તે ગામના માર્ગને પત્તો ન લાગે. અને આ અટવી પ્રદેશમાં આવી પહોંચ્યા. “અમે માર્ગ ભૂલી ગયા અને અહીં આવી