________________
૫૫
શ્રી સિદ્ધક્ષેત્રમાં ચોમાસુ, શ્રી નવપદજીની ઓળી, અનેક છઠ્ઠ, અઠ્ઠમ-અડ્ડાઈ ગડિયા-બગડિયા ભવ-આલેચના ઈત્યાદિ વિશિષ્ટ તપે તેમના આંતર જીવનને પવિત્ર અને નિર્મળ બનાવ્યું હતું-સમતા, સહનશીલતા તથા સહિષ્ણુતા, દેવ ગુરુ પ્રત્યેની અનન્ય ભક્તિ વગેરે સદ્દગુણેથી જીવન સંસ્કારી બન્યું હતું. તેમના બાળકે આ સંસ્કારની સહાયથી અનાદિ અનંત દુઃખોથી ભરેલા સંસાર સાગરને પાર કરવા (પુરુષાથી) પ્રયત્નશીલ બન્યા, તેમના સુપુત્ર સ્વ. મહેન્દ્રભાઈને વિતરાગ પરમાત્મા પર અનન્ય શ્રદ્ધા હતી. વાત્સલ્ય મૂર્તિ મા અને પુત્રમાં સામ્ય હતું. તેમને સ્વભાવ પરોપકાર, સરળતા, નિસ્વાર્થ વૃત્તિથી ઝળહળતું હતું આખું કુટુએ તેમનું અત્યંત જણ છે. તેમના આદર્શ અને ધર્મ ભાવનાને અંતરમાં જાગૃત રાખવા તેને અભિવ્યકત કરવા અમને કાંઈક કરવાની પ્રેરણા જાગી.
તેવામાં અમારા અનન્ય સ્નેહી પરમપૂજ્ય આચાર્યશ્રી સાહેબજી ધર્મસૂરીશ્વરજી મહારાજનું “શ્રી મહાવીર સ્વામી પ્રભુના ૨૬ ભવનું આ પુસ્તક વાંચવા આપ્યું, જેને આદર્શ પણ પ્રભુની આજ્ઞાને લાયક બનવાને છે. - આ પુસ્તક માંહ્યલાને જગાડી ગયું. ! દરેક જીવે અકથ્ય, અસહ્ય, અનંત આપત્તિઓને ભોગ બને છે અને એમાંથી છૂટવા માટે સાચે માર્ગ બતાવનાર કેઈ ખરેખર ઉપકારી હોય તે એક વીતરાગનું જ મહાન શાસન છે. એવી અનુભૂતિ થઈ માનવ ભવને પામીને જીવનું કઈ