SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી તે પાપના છિદ્રો દ્વારા ક્ષણે ક્ષણે આત્મામાં કર્મરૂપી જળ ભરાયા કરે છે અને સામે કિનારે પહોંચવાને બદલે એ આત્મારૂપી નૌકા સંસારસાગરમાં જ ડુબકી માર્યા કરે છે. (૧૧) સ્થૂલદષ્ટિએ સંસારમાં ગમે તેટલું સુખ દેખાતું હોય પણ તત્ત્વષ્ટિએ તે સુખ નથી. પારકી અથવા ઉછીની માંગીને ભેગી કરેલી મુડી ઉપર તાગડધિન્ના કરવા જેવું તે સુખ છે. (૧૨) વળી જ્યાં સુધી જન્મ-જેરા--મરણને ભય માથે ઝઝુમતે હોય, આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી જીવન ભરપૂર હોય, તેમજ રોગ-શેક-સંતાપ વગેરે દુઃખના વાદળ હરહંમેશ માથે ઘેરાયેલા જ રહેતા હોય, આવા સંસારમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. (૧૩) ગમે તેટલું ભેજનપાન કરવામાં આવે છતાં અમુક સમય બાદ ભુખ-તરસની વેદને પાછી જે હાજર થતી હોય તે એ ભજન-પાનના સુખની કશી કિંમત નથી. (૧૪) ગમે તેટલી સંપત્તિના ઢગ વિદ્યમાન હોય, છતાં આશા-તૃષ્ણ અને અસંતોષને ઉકળાટ જીવનમાં નિરંતર ચાલુ હોય તે તે સંપત્તિના સુખ કશી ગણત્રીમાં નથી. (૧૫) સાત માળ કે સિત્તેર માળની હવેલીના છેલ્લા મજલે સુર્વણના હિંચકે હિંચવાનું મળ્યું હોય, એમ છતાં
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy