SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રમણ ભગવાન મહાવીર દેવની માતા બલદેવને આત્મા ગર્ભપણે અવતરે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નો પૈકી કોઈપણ ત્રણ મહાસ્વનેને જોઈને જાગે છે. અને મંડલિક રાજાની માતા મંડલિક રાજાને આત્મા માતાની કુક્ષિામાં અવતરે ત્યારે આ ગજ-વૃષભાદિ વગેરે ચૌદ મહાસ્વપ્ન પૈકી કઈપણ એક મહાસ્વપ્નને જોઈને જાગૃત થાય છે. તીર્થકરોની માતાને સ્વપન દર્શનના ક્રમમાં તફાવત હે સિદ્ધાર્થ રાજા ! દેવને વલભ! ત્રિશલા ક્ષત્રિયાણીએ કેસરી સિંહ ગજ વૃષભ વગેરે અતિશય દેદીપ્ય માન જે ચોદ મહાસ્વપ્ન જોયેલા છે તેના સામાન્ય ફળ સ્વરુપે ધન-ધાન્ય, દ્ધિ-સિદ્ધિ-સંપત્તિ સત્કાર સન્માનની વૃદ્ધિ વગેરે અનેક પ્રકારનું પ્રશસ્ત ફળ પ્રાપ્ત થશે. પરંતુ મુખ્ય ફળ તરીકે તે અમારા સ્વપ્ન શાસ્ત્રના નિયમ પ્રમાણે ત્રિશલા ક્ષત્રિયાણી નવ મહિના અને ઉપર સાડા સાત દિવસ પૂર્ણ થયા બાદ વિશ્વને ઉદ્ધારક તીર્થંકર પરમાત્મા રૂપી પુત્ર રત્નને જન્મ આપશે આપણા જંબુદ્વીપવર્તી ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરોની માતાઓ ઉપર જણાવ્યા પ્રમાણે જે રાત્રિએ તીર્થકરને આત્મા માતાની કુક્ષિમાં ગર્ભપણે અવતરે છે. તે રાત્રિએ ચોદ મહાસ્વપ્નને જોઈને જાગૃત થાય છે. ફકત તફાવત એટલો છે કે પ્રથમ તીર્થકર રાષભદેવ ભગવંતના માતા - દેવાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ જોયેલ છે, અને પછી ગજ કેદારીસિંહ એ પ્રમાણે બાકીના તેર મહાસ્વપ્ન જોયેલા છે.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy