________________
કર્મને ભેગવટો બે પ્રકારે
२७७
પછી અનેક પ્રકારની ધામધૂમ થતી હોવાનું સર્વજન પ્રસિદ્ધ છે. એ પ્રમાણે ભગવાન તીર્થંકરદેવ માતાની કુક્ષિમાં આવે ત્યારથી જ વ્યવહારનય તેમજ ઋજુસૂત્રનયની અપેક્ષાએ એમને તીર્થકર તરીકે ગણવામાં આવે છે. અને ઈન્દ્રાદિદે શકસ્તવ (નમુત્યુણ) સૂત્ર વડે તે અવસરે ભગવંતની સ્તુતિ કરે છે. દેવાનંદાનું ગષભદત્ત બ્રાહ્મણ પાસે જવું અને
સ્વપ્નને વૃત્તાંત રજૂ કરમાતા દેવાનંદા ગજવૃષભાદિ ચૌદ ઉત્તમત્તમ મહાસ્વનોને અર્ધનિદ્રાવસ્થામાં જોઈને જાગૃત થયા. એમનું હૈયું હર્ષથી પુલકિત બન્યું. રોમરાજી વિકસ્વર થઈ, અને મુખ ઉપર પ્રસન્નતાની રેખાઓ પ્રગટ થઈ, પિતાના સ્વામીનાથના શયનખંડમાં માતા દેવાનંદા પહોંચ્યા. અને “આપ જય પામે, જય પામે” વગેરે મધુરશબ્દો વડે પિતાના સ્વામીને જાગૃત કર્યા. વહેલી પ્રભાતે પિતાના પત્ની દેવાનંદ પિતાની પાસે આવ્યા અને મધુર તેમજ માંગલિક શબ્દો વડે મને જાગૃત કર્યો, તેમાં જરૂર કંઈ પ્રશસ્ત કારણ હશે, એમ સમજી ઝાષભદત્ત બ્રાહ્મણ પણ શય્યામાં બેઠાં થયા, એટલું જ નહિ, પણ, મધુર વચનેવડે દેવાનંદાનું સ્વાગત કરી પાસેના ભદ્રાસન ઉપર બેસવા માટે અનુજ્ઞા આપી, એટલે દેવાનંદા પણ ભદ્રાસન ઉપર શાંતિ અને સ્વસ્થતાથી બેઠા.
૧. તીર્થકર કેવા હોય ? તેનો સર્વોત્તમ પરિચય આપતી આ મહત્ત્વની ગભરાર્થક સ્તુતિ -પ્રાર્થના છે. જેનસંઘમાં ખૂબજ સુપ્રસિદ્ધ છે.
થશેo