________________
કલ્યાણક સમયના અજવાળા
૨૭૩
અશુભ ફળને તેમજ તેની તીવ્રતા–મંદતાને આધાર તે તે કર્મમાં આ જીવે શુભ-અશુભ લેશ્યાને કારણે, પ્રગટ કરેલ રસ ઉપર છે. કર્મના બંધ પ્રસંગે શુભલેશ્યા હોય તે કર્મમાં શુભરસ ઉત્પન્ન થાય છે. શુભલેશ્યાની તીવ્રતા હોય તે કર્મના શુભરસમાં તીવ્રતા અને શુભલેશ્યાની મંદતા હોય તે કર્મના શુભરસમાં મંદતા પેદા થાય છે. એ જ પ્રમાણે અશુભ કર્મને રસની તીવ્રતા-મંદતા માટે પણ સમજી લેવું. શુભરસવાળું કર્મ સુખ આપે છે. અશુભરસવાળું કર્મ દુઃખ આપે છે. જીવનમાં સુખ-દુઃખનું કારણ કર્મને શુભ-અશુભ રસ છે. અને કર્મના રસનું કારણ શુભ-અશુભ લેશ્યા છે.
વર્ષો સુધી જેને સુખ-દુઃખરૂપે ભેગવટે ચાલે એવા શુભ કે અશુભ કર્મમાં એક સરખે શુભ-અશુભ રસ નથી હિતે. કઈ ક્ષણ જીવનમાં એવી આવે કે એ ક્ષણે ઉત્કૃષ્ટ કેટની શુભલેશ્યા હેય. આવી ઉત્કૃષ્ટ શુભલેશ્યાના કારણે બંધાતા કર્મમાં જે શુભરસ પેદા થાય અને એ શુભરસને જે ક્ષણે ભગવટે કરવાને પ્રસંગ આવે ત્યારે શુભકર્મનું ફળ પણ સર્વોત્કૃષ્ટપણે ભગવાય. તીર્થકર ભગવંતના અવન કલ્યાણકથી લઈ તીર્થંકર પ્રભુના નિર્વાણ સુધી અને તેમાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી નિર્વાણ સુધી પ્રત્યેક ક્ષણે તીર્થકર નામકર્મને ઉદય સતત ચાલુ હોવા છતાં યવન. જન્મ વગેરે કલ્યાણકના વિશિષ્ટ પ્રસંગે જ વિશિષ્ટ રસને ઉદય હેવાના કારણે, અખિલ વિશ્વમાં સર્વત્ર અજ. વાળા અજવાળા અને વિશ્વના સર્વ જીવોને સુખ-શાંતિને અનભવ થવાની અને તે સિવાયના સમયે તેવા અજવાળાં