________________
[૧૮]
નંદનમુનિવરનું પ્રાંસનીય સંયમી જીવન
નંદનમુનિવરે જ્યારથી સંયમ ગ્રહણ કર્યું ત્યારથી જીવન પર્યત માસક્ષમણના પારણે માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યાને પ્રારંભ તે કર્યો હતે, ઉપરાંત આર્ત અને રોદ્ર આ બન્ને પ્રકારના દુર્ગાનમાંથી બચવા માટે સતત તેઓ જાગૃત રહ્યા, રાગ અને દ્વેષના પરિણામ દ્વારા કર્મના બંધનમાંથી બચવા માટે તેઓ સાવધાન બન્યા. મનદંડ, વચનદંડ અને કાયદંડ, ત્રાદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ, માયાશલ્ય, નિયાણશલ્ય તેમજ મિથ્યાદર્શનશલ્યથી દૂર રહેવા માટે તેઓ સતત પ્રયત્નશીલ થયા. ધ વગેરે ચાર પ્રકારના કષાયે, આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભકતકથા એ ચાર વિકથાઓ વગેરે સંસારપરિભ્રમણને પ્રધાન કારણોથી પણ આપણું નંદનમહામુનિવર નિઃસંગ બન્યા. સંયમ ગ્રહણ કર્યા બાદ દેવસંબંધી, મનુષ્ય સંબંધી કે પશુ પક્ષી સંબંધી જે કઈ ઉપસર્ગ પ્રાપ્ત થયા તેને ધીરતાથી સહન કરવામાં મેરૂ સમાન નિશ્ચલ રહ્યા. પંચ મહાવ્રતનું પાલન, પાંચે ય ઇન્દ્રિય ઉપર વિજય, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં સતત ઉદ્યમ, પંચ સમિતિના પરિપાલનમાં સદા ય સાવધાન,