SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ શ્રમણ ભગવાન મહાવીર પદની આરાધના આત્મહિત માટે ઘણી અનુ મેદનીય છે. તીર્થંકર પ્રભુ, ગણધર ભગવાન તેમજ સાતિશય જ્ઞાની ભગવંતની ગેરહાજરીમાં જિનશાસનની આરાધનાનું અસાધારણ કારણ આગમાદિ શાસ્ત્ર છે, આવા આગમાદિ ગ્રંશેની ત્રિકરણગે થતી ભક્તિમાં ભાવટયા જે અવશ્ય સંકળાયેલ હોય અને એ ભકિત જે પરાકાષ્ટાએ પહોંચે તે જિનનામકર્મને નિકાચિત બંધ થવામાં જરા પણ વિલંબ થતો નથી. વીસમું તીર્થ પદ જેને આલંબનથી આતમા ભવસાગરને પાર પામી શકે તેનું નામ તીર્થ છે. આગમાદિ ગ્રંથમાં તીર્થ શબ્દ વડે જિનપ્રવચન, પ્રથમ ગણધર ભગવાન અને ચતુર્વિધ સંઘને સ્વીકાર કરવામાં આવેલ છે તે વાત સર્વથા યથાર્થ છે. સાથે સાથે એ જિનપ્રવચનરૂપી મંગલમય તીર્થનું અવલંબન લઈ મુકિતગામી સંખ્ય–અસંખ્ય આત્માઓ જે સ્થળે સકલકર્મને ક્ષય કરી નિર્વાણ પદને પામ્યા હોય છે. તે ભૂમિને પણ તીર્થસ્વરૂપ માનવામાં આવે છે. મુક્તિગામી સંખ્ય-અસંખ્ય આત્માઓની પવિત્રતાનું વાતાવરણ એ ભૂમિને પવિત્ર બનાવે છે. અને જિનપ્રવચન વગેરેનું અવલંબન લેવાથી ભવ્યાત્માને જે વિશુદ્ધ ભાવના પ્રગટ થાય છે તેવી જ વિશુદ્ધભાવના આ તીર્થભૂમિના દર્શનસ્પર્શન અને અવલંબનથી પણ અવશ્ય પ્રાપ્ત થાય છે, ભગવાન તીર્થંકર પ્રભુ તે સર્વોત્તમ તીર્થ છે જ, પરંતુ એ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy