________________
૨૨૬
શ્રમણ ભગવાન મહાવીર
મુક્તિ પદને અધિકારી બને છે. દેવદર્શનાદિ ધર્મક્રિયા વડે મારા આત્મામાં વર્તતા રાગ-દ્વેષ કામ ક્રોધ વગેરે દૂષણોને કેમ અભાવ થાય, ગમે તેવા આપત્તિને પ્રસંગે મારૂં પૂર્વસંચિત કર્મ એ જ મારી આપત્તિનું કારણ છે એમ સતત ચિંતન મનન દ્વારા સમભાવ ટકાવી રખાય, હિંસા વગેરે પાપના સેવનમાંથી હું બચી શકતો નથી એ મારે તીવ્ર અશુભને ઉદય છે, પાપને ત્રિકરણગે ત્યાગ કર એ જ અરિહંત ભગવંતની આજ્ઞા છે. આ પ્રમાણે સતત ચિંતન-મનન થાય અને પિતાના આત્મસ્વરૂપના ચિંતન સાથે વિશ્વના સ્વરુપનું વાસ્તવિક ઓછુ-વધુ પણ ચિંતન કરાય, આ બધાય ધર્મથાનના-પ્રકારે છે. આ ધર્મધ્યાન વડે આત્મા સંવર અને સકામનિર્જરાને લાભ પ્રાપ્ત કરવા ઉપરાંત પુણ્યાનુબંધિ પુન્ય ઉપાર્જન કરે છે, અને શુફલ ધ્યાનને અધિકારી બને છે.
શુકલધ્યાન શ્રતના આલંબનથી, અથવા આલંબન વિના ધર્મસ્તિકાય વિગેરે દ્રવ્ય અને તેના પર્યાના યથાર્થ ચિંતન નમાં સ્થિરતા કિવા એકાગ્રતા, તેમજ આત્મા આત્માને વડે આત્મા માટે આત્માથી આત્મામાં રિથર બને, એ બધા ય શુકલ ધ્યાનના સર્વોત્તમ પ્રકારે છે. શુકલ ધ્યાન એ અનંતર કિવા પરંપર મોક્ષનું કારણ છે. “મારો આત્મા આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી કેઈપણું ઉપાય બચે તેમ જ ધર્મ અને શુકલ ધ્યાનમાં જોડાય, એટલું જ નહિ પણ આ