________________
૨૨૨
શ્રમણ ભગવાન મહાવીર
તે ભાવ ચારિત્ર અથવા નિશ્ચય ચારિત્ર છે. કેઈપણ મુક્તિગામી આત્મા આ ભાવચારિત્રાની સંપૂર્ણ પણે પિતાના સર્વાત્મપ્રદેશે સ્પર્શના કર્યા સિવાય મુકિતનો અધિકારી બની શકતો નથી. સમ્યગુદર્શન તેમજ સમ્યગજ્ઞાન એ મુકિતનું કારણ છે, અને ભાવ ચારિત્ર એ મુક્તિનું અનંતર કારણ છે. ભાવ ચારિત્ર એજ યથાર્થ ચારિત્ર છે. એમ છતાં દ્રવ્ય ચરિત્ર સિવાય ભાવ ચારિત્રની પ્રાપ્તિ થવી અશક્ય હોવાથી દ્રવ્ય ચારિત્રની પણ એટલી જ જરૂર છે. “હે પિતે આવા સર્વ શાંતિ આપનાર દ્રવ્ય-ભાવ ચારિ. ત્રની આરાધના કરી મારા આત્માને જે મુકિતને અધિકારી બનાવું.” એટલાથી મને સંતોષ નથી, મારી તે એવી ભાવના છે કે મારી ચારિત્રપદની આરાધના દ્વારા ભાવિ કાલે હું એવા ધર્મતીર્થના પ્રવર્તનને અધિકારી બનું કે એ ધર્મતીર્થનાં શરણે આવનાર સર્વ કઈ ભવ્યાત્માઓ ચારિત્રાપદના આરાધક બની અનંતર કિંવા પરંપરપણે સતિના અધિકારી બને.” જે સમ્યગૂટિના અંતરાત્મામાં આવી ભાવના ઉત્કૃષ્ટપણે પ્રગટ થાય છે તે આત્મા તીર્થ કર નામશેત્રને અવશ્ય બંધ કરે છે.
બારમું બ્રહ્મચર્ય પદ ચારિત્રપદનાં પ્રાણ સમાન બારમું બ્રહ્મચર્ય પદ છે. પ્રાણ વિનાનું શરીર મૃતક (મડદું) ગણાય છે, અને તેમાંથી દુધ પ્રગટે છે. તે જ પ્રમાણે બ્રહ્મચર્ય વિનાનું ચારિત્ર એ પણ મૃતક સમાન છે, અને એવા ચારિત્રમાંથી અનેક