________________
શ્રમણ ભગવાન મહાવીરનું જીવનચરિત્ર લખવાની ભાવના છતાં તેમ કરવામાં ઘણે સમય લાગે, એમ સમજીને હાલ તુરતમાં નયસારના ભવથી પ્રાણુત દેવકના દેવભવ સુધીના છવ્વીશ ભને એક વિભાગ તૈયાર કરવાને નિર્ણય કર્યો. અને આ ગ્રન્થમાળાના કાર્યવાહકેએ એ નિર્ણયને અમલ કરવાની ભાવના વ્યકત કરવાથી મને ઘણે આનંદ થયે છે.
વિશ્વવંદ્ય ભગવાન મહાવીરના છવ્વીશ જેનું વૃત્તાંત લખવું એ સામાન્ય બાબત નથી. મારા જેવા મંદ બુદ્ધિવાળા માટે વૃત્તાંત લખવાનું ગજુ પણ નથી એમ છતાં મારા પિતાના ક્ષપશમની વૃદ્ધિના કારણે તેમજ આ નિમિત્તે એ તારક પરમાત્માના ગુણગાન કરવા દ્વારા પ્રભુભકિતના લાભ માટે મેં આ ગ્રંથ લખેલ છે. મારા અભ્યાસની ક્ષતિના કારણે અથવા છદ્મસ્થ સુલભ ઉપયોગની શૂન્યતાના કારણે ભગવાન મહાવીરને રહેવા દેવું નિરૂપણમાં કેઈ શાસ્ત્ર વિરૂદ્ધ નિરૂપણ થયું હોય તે તે અંગે મિચ્છામિ દુક્કડ આપવા સાથે તે બાબત મને અથવા ગ્રન્થમાળાના કાર્યવાહકને સૂચન કરવાની વાંચકોને નમ્ર વિનંતિ છે.
ભગવાન મહાવીરના છવ્વીશ ભનું નિરૂપણ વાંચવાથી આપણું જીવનમાં આપણને સહુ કોઈને જીવાત્મામાંથી પરમાત્મદશાને પંથે પ્રયાણ કરવાની શક્તિ પ્રગટ થાય એજ અંતિમભાવના !
– ગ્રંથ લેખક