SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ કુલને વાસ્તવિક ભાવાર્થ ૨૦૫ બાદ માતા-પિતા વગેરે સ્વજન વર્ગ ધર્મ-પરાયણ હોય અને તેમના તરફથી જન્મ પ્રાપ્ત કરનાર બાળકને ગર્ભાવાસમાંથી જ આરાધનાના સંસ્કાર સારી રીતે મળતા રહે. તે જ તે ઉચ્ચકુલ કિંવા ઉચ્ચ ગેત્ર છે. ક્ષત્રિય કુળ જેવા ઉચ્ચ ગણાતા કુળમાં જન્મ લીધા બાદ જીવોને અભયદાન આપવાનું તેમજ અનેકવિધ યાતનાઓથી રીબાતા અનાથ પશુ-પક્ષીઓને તથા દીન-દુઃખી માનવોને રક્ષણ અને રાહત આપવાનું વાતાવરણ હોવાને બદલે નિરપરાધી પ્રાણીઓના શીકાર વગેરે કરવાનું વાતાવરણ હોય તે સામાન્ય રીતે વ્યવહાર પૂરતું ઉચ્ચ કુલ ગણવામાં આવે પરંતુ વાસ્તવિક રીતે ઉચ્ચ-કુલ ન ગણાય જે કુલમાં અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ, સતિષ અને ક્ષમાદિ ગુણનું વાતાવરણ હોય તે જ સાચી રીતે ઉચ્ચકુલ તરીકે ગણી શકાય. નંદનકુમારને પિતા તરફથી રાજ્યગાદીનું સમર્પણ અને પિતાજીની દીક્ષા આપણુ નંદનકુમારના માતા ભદ્રારાણી અને પિતા જિતશત્રુ અનેક દેશના રાજવી છતાં એ બન્નેના દિલમાં અહિંસા વગેરે મંગલમય ધમનું વાતાવરણ હતું અને એથી જ નંદનકુમાર જ્યારે ગ્ય વયે પહોંચ્યા એટલે રાજ્યની ધુરા એ નંદનકુમારને સમર્પણ કરી આત્માના કલ્યાણ માટે જિતશત્રુ રાજાએ યેગ્ય ગુરૂદેવ પાસે સંયમને સ્વીકાર કર્યો નંદનકુમાર હવે રાજા થયા. એમ છતાં રાજ્યના
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy