________________
૧૯૬
શ્રમણ ભગવાન મહાવીર
આત્મા તે જ ભવમાં મુકિતને અધિકારી બને છે પણ સંયમ ગ્રહણ કરવા છતાં મેહને સર્વથા અભાવ થાય તે પુરુષાર્થ ન પ્રગટે અને તે દરમ્યાન આયુષ્ય પૂર્ણ થાય તે તે આત્મા મોક્ષની નજીક જરૂર આવે છે, અને તે આત્માને મોક્ષપ્રાપ્તિ થતા સુધીમાં વચ્ચે એક બે યાવત સાત આઠ ભવ સુધી સ્વર્ગલેક તેમજ મનુષ્યલકમાં જન્મ લેવો પડે છે.
આપણા પ્રિય મિત્ર રાજથિ માટે પણ આજ પરિસ્થિતિ છે. હવે એમનું પ્રયાણ મેક્ષના પવિત્ર પંથે શરૂ થઈ ચૂકયું છે, એમ છતાં પૂર્વ સંચિત કર્મની વિષમતા હોવાથી તેમજ પંથે લાંબો અને તેટલા પ્રમાણમાં પ્રબલ પુરુષાર્થને અભાવ વગેરે કારણે હજારો લાખ વર્ષો પર્યત તપ-સંયમની આરાધના છતાં સરાગસંયમની અવસ્થામાં જ આયુષ્યને બંધ અને એજ અવસ્થામાં વર્તમાન અ યુષ્યની સમાપ્તિ થવાથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા એવી શમા ભવે વૈમાનિક નિકાયના બાર દેવક પૈકી સાતમા શુક નામે દેવલેકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
દેવે દેવલોકમાં કેવી રીતે ઉત્પન્ન થાય?
દેવકમાં દેવોને ઉત્પન્ન થવા માટે પ્રત્યેક વિમાનમાં ઉપપાત શમ્યા હોય છે. આ ઉ૫પાત શય્યા સુગંધી અને સુકમળ પુષ્પની અહિંની શય્યા કરતાં પણ અત્યંત મુકેમળ અને સુવાસિત હોય છે. આ ઉપપાત શય્યા ઉપર એક દેવદૂષ્ય મુલાયમ વસ્ત્ર હોય છે. આ શય્યા અને દેવદુષ્ય વસ્ત્રના વચલા વિભાગમાં દેવ અથવા દેવી ઉત્પન્ન થાય