________________
કષાયની મંદતા એ સંસારની લઘુતાને હેતુ ૧૮૯ કમને હોય કે અશુભકર્મ હોય પણ એ સ્થિતિબંધ સંપૂર્ણ
જ્યાં સુધી ન ભેગવાય ત્યાં સુધી આત્માને સંસારના બંધનમાં અવશ્ય રહેવું પડે છે અને મુમુક્ષુ આત્મા માટે આ વાત ઠીક નથી. કષાયની મંદતાનું અસાધારણુ કારણ સમ્યજ્ઞાન
પૂર્વક તપ-સંયમની આરાધના જેમ જેમ કષાયની તીવ્રતા તેમ તેમ શુભકર્મને પણ સ્થિતિબંધ વધુ અને જેમ જેમ કષાયની મંદતા તેમ તેમ શુભકર્મને પણ સ્થિતિબંધની અલ્પતા. શાતાદનીય એ શુભકર્મ છે. એ શાતા વેદનીયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પંદર કોડાકોડી સાગરોપમ છે. અને જઘન્ય સ્થિતિબંધ બાર મુહને છે. આત્મા જ્યારે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે વર્તતે હોય અને તપ્રાગ્ય કષાયની તીવ્રતા હોય ત્યારે એ શાતાવેદનીય સ્થિતિબંધ પંદર કેડાછેડી સાગરોપમ પ્રમાણ બંધાય છે. એ આત્મા સમ્યગુદર્શન પામે એટલે અમુક પ્રમાણમાં કષાયની મંદતા થવાના કારણે એક કડાકેડી સગરેપમથી પણ એ છે સ્થિતિબંધ થાય અને એ જ આત્મા ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ કરતા દશમાં સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાનકે પહોંચે એટલે શાતા વેદનીય જેવી શુભ પ્રકૃતિને પણ ફક્ત બાર મુહૂર્ત એટલે જ સ્થિતિબંધ થાય છે. શુભાશુભ કર્મને સ્થિતિબંધ એટલે વધુ તેટલું સંસારનું પ્રમાણ વધારે તેમજ શુભાશુભ કર્મના સ્થિતિબંધનું પ્રમાણ કષાયની વાસ્તવિક મંદતાના કારણે જેટલું અલ્પ તેટલું સંસારનું પરિભ્રમણ પણ અ૫ અને મેક્ષનું સામીપ્ય. આ જૈનદર્શનને સનાતન સિદ્ધાંત છે. આ કષાયની મંદ