________________
ચેથી આવૃત્તિ પ્રસંગનું પ્રકાશકીય નિવેદન
આ પુસ્તકની ચોથી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. લેખક પૂજ્ય યુગદિવાકર આચાર્યશ્રીજી જૈન સમાજમાં દ્રવ્યાનુયોગનાતત્વજ્ઞાનના નિષ્ણાંત તરીકે જાણીતા હતા. તાત્વિક અને કર્મશાસ્ત્રને લગતા ગ્રન્થોના અભ્યાસ અને તેનું ચિંતન ઘણું ઉંડુ અને વ્યાપક હતું. તત્વજ્ઞાની સાથે શ્રેષ્ઠ કેટિના વકતા અને સુંદર લેખક હતા, અને આ કારણે જ આ ભગવાન મહાવીરનું પુસ્તક અતિવાચનીય અને મનનીય બની ગયું. વિદ્વાને અને જનતાની માંગ રહ્યા જ કરતી હતી જેથી તેનું પુનઃપ્રકાશન કર્યું છે.
વાચક આધ્યાત્મિક પ્રેરણા આપતા આ પુસ્તકને મનન પૂર્વક શાંતિથી વાંચે અને જીવનને અજવાળે
એ જ, અને સાથે-સાથે આવા બોધક-પ્રેરક પુસ્તક પિતાના સર્કલમાં વધુ વંચાય એ માટે ઘટતું કરે !
આ આવૃત્તિમાં ૦૭ મા ભવના પ્રારંભનું ઉપલબ્ધ લખાણ પહેલી જ વાર ઉમેરવામાં આવ્યું છે.
– પ્રકાશકે