________________
૧૭ર
શ્રમણ ભગવાન મહાવીર
સ્ટ પ્રમાણમાં લઘુતા થઈ હતી, તેમજ એ આરાધનાના પ્રસંગે વર્તતા પ્રશસ્ત મન, વાણ, કાયાના યોગ દ્વારા ભગવાન મહાવીરના આત્માએ એવી ઉત્તમ પુણ્ય પ્રકૃતિએ ઉપાર્જન કરી હતી કે જેના પ્રભાવે ગ્રેવીસમા ભવમાં તેમને ચક્રવર્તી પણાને વૈભવ પ્રાપ્ત થવાને હતે. તીર્થકર નામકર્મની અંતર્ગત ગણધરાદિ નામકર્મ
નામકર્મની કુલ , અથવા ૧૦૩ ઉત્તર પ્રવૃતિઓમાં આઠ પ્રત્યેક પ્રકૃતિઓ પૈકી તીર્થકર નામકર્મની કર્મપ્રકૃતિ સુપ્રસિદ્ધ છે. એ તીર્થકર નામકર્મને જ્યારે વિપાકેદય થાય ત્યારે આત્મા જેમ દેવાધિદેવતીર્થંકરપણું પ્રાપ્ત કરે છે તે પ્રમાણે એ તીર્થંકર નામકર્મની અંતર્ગત ગણધર નામકર્મ, આચાર્ય નામકર્મ, ઉપાધ્યાય નામકર્મ યાવત, ચક્રવર્તી નામકર્મ વગેરે અવાંતર વિભાગવાળી કર્મપ્રકૃ તિઓ શાસને બાધ ન આવે તે રીતે પૂર્વાપર વિચાર કરીને આપણી બુદ્ધિથી આપણે સમજવાની છે.
દ્રવ્યદયા અને ભાવદયાનું ભાવિ ફળ માનવજીવન દરમ્યાન દ્રવ્યદયા તથા ભાવદયા બને પ્રકારની દયામાં જે પરાકાષ્ટા આવે તે તે આત્મા શાંતિનાથ ભગવાન વગેરે તીર્થકરોની માફક એક જ ભવમાં ચકવર્તીપણું તથા તીર્થંકરપણું પ્રાપ્ત થાય તેને લાયક નામકર્મ ઉપાર્જન કરે છે. માનવજીવનમાં દ્રવ્યદયા હેવા છતાં દ્રવ્યદયાની અપેક્ષાએ ભાવદયાનું અત્યંત પ્રાધાન્ય હોય તે તે આત્મા રાજામહારાજા તરીકે અવતાર પ્રાપ્ત
રાજવી લેવા
માટે ભાવક
તરીકે આ