SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ બાલમરણ-પડિત મરણ ૧૫૭ અને સમ્યગ્દર્શનાદિ આત્મિક ગુણ એ ભાવથી ઉત્તમ સામગ્રી છે. બાલમરણ-પડિતમરણું કોઈપણ આત્મા જ્યાં સુધી સંસારમાં હોય છે. ત્યાં સુધી તે આત્માને જન્મ-મરણની પરંપરા નિયમિત ચાલુ રહે છે. જે સ્થળે જન્મ થાય તે સ્થળે ઉપર જણાવ્યા પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેય પ્રકારની પ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવી, એને આધાર ગત જન્મના મરણ ઉપર છે. પૂર્વભવમાં જે બાલમરણ થયું હોય તે વર્તમાન ભવમાં દ્રવ્ય-ક્ષેત્ર વગેરે ચારેય પ્રકારે અને તેમાંય ભાવની અપેક્ષાએ પ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવામાં બાધા પહોંચે છે. પરંતુ જે પૂર્વભવમાં પંડિતમરણ થયું હોય તે વર્તમાનભવમાં પ્રાયઃ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની અને તેમાંય ખાસ કરીને ભાવની અપેક્ષાએ સમુચિત સામગ્રી અવશ્ય પ્રાપ્ત થાય છે અને ચારેય પ્રકારની સામગ્રીને અનુકુલ વેગ મળ્યા બાદ એ આત્મા મોક્ષમાર્ગની આરાધનામાં ઉત્તરોત્તર આગળ વધતું જાય છે. કેઈ અમુક કારણે દ્રવ્યાદિ સામગ્રી કદાચ એટલી અનુકૂલ ન હોય તે પણ ભાવની અનુકૂલતા હોવાથી એ દ્રવ્યાદિ સામગ્રીની અમુક કચાશ મેક્ષની આરાધનામાં બાધક થતી નથી. મરણ સમયે આત્માની પરભાવમાં રમતા હોય તે તે બાલમરણ છે... અને મરણ સમયે આત્મા સ્વભાવ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy