________________
પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને જીવન વૃત્તાન્ત
કુશળ સમાચાર પૂછયા. પરંતુ રાજસભામાં દૂતને અકસ્માત પ્રવેશ થતાં નાચમુજરા અને સંગીતના રંગમાં ભંગ પડવાથી ત્રિપૃષ્ઠ વાસુદેવના હૈયામાં દૂત ઉપર રોષ આવે. બાજુમાં બેઠેલાને આ દૂત કોણ છે ? કયાંથી આવ્યું છે ? પિતાજીએ આ દૂતને આટલો બધે આદરસત્કાર કર્યો તેનું શું કારણ છે ? વગેરે હકીક્ત પૂછતાં આ દૂત ત્રણખંડનાં સ્વામી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને દૂત છે, ભરતક્ષેત્રના ત્રણ ખંડમાં વર્તતા નાને મેટા સર્વ રાજાઓ એ પ્રતિવાસુદેવની આજ્ઞામાં વર્તતા હોવાથી આપણું રાજા પણ તેમના દૂતને આદરસત્કાર કરે તે સ્વાભાવિક છે પ્રતિવાસુદેવના દૂતને આદર એ પ્રતિવાસુદેવને જ આદર છે એમ આજે સર્વ રાજાઓ માને છે. અને એ કારણે જ આપણુ રાજા પ્રજાપતિએ રાજસભામાં ચાલતા નાચ-ગુજરા તેમજ સંગીતનાં રંગને બાજુમાં રાખીને પણ આ દૂતનું બહુમાન કર્યું છે તે બરાબર કરેલ છે.
વિપૃષ્ણકુમારે કરેલો ચંડવેગ દૂતને પરાભવ
ત્રિપૃષ્ણકુમાર એ વાસુદેવને અવતાર હતા. પ્રતિવાસુદેવ કરતાં તેમનું પુણ્યબળ વધુ પ્રબળ હતું. તેને આત્મામાં જેમ અને શૂરાતનને પ્રવાહ અખલિત હતું. જે વ્યકિતને ત્રિપૃષ્ઠકુમારે કૂત સંબંધી હકીકત પૂછેલી તે વ્યક્તિ પાસેથી ઉપર જણાવેલ બાબત જાણવામાં આવતાં ત્રિપૃષ્ઠકુમારનું લેહી ગરમ થઈ ગયું, “મારા પિતા ભલે ગમે તે કારણે પ્રતિવાસુદેવની આજ્ઞા શિરોમાન્ય રાખતા હોય અને તેમનાં ધ ભ. મ. ૧૨