SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ શ્રમણ ભગવાન મહાવીર બંધુ વિશાખભૂતિ યુવરાજની રાણી ધારિણીની કુક્ષિથી વિશ્વભુતિ રાજકુમાર તરીકે જન્મ પ્રાપ્ત કરે છે. એક જન્મની વધુ પડતી ભૂલની અનેક ભ સુધી કારમી શિક્ષા મરિચિના ભવમાં કરેલા કુલમનાં કારણે બંધાયેલ નીચગેત્રનાં પ્રભાવે પંદરમાં ભવ પર્યત જ્યારે જ્યારે ભગવંતને આત્મા મનુષ્યપણું પામે ત્યારે ભિક્ષાવૃત્તિના નિમિત્તે અપ્રસ્ત ગણાતાં બ્રાહ્મણકુળમાં જન્મ થવાને પ્રસંગ પ્રાપ્ત થયે. ત્રિદંડિકવેષને સ્વીકાર અને ઉન્માર્ગદેશનાજન્ય દર્શનમેહનીય કર્મનાં કારણે અસંખ્ય વર્ષો પર્યત ભગવંત મહાવીરને આત્મા સમ્યગ્ગદર્શન અને તેના અનન્ય સાધન સુદેવ, સુગુરુ અને સુધર્મથી વંચિત રહેવા ઉપરાંત દરેક મનુષ્યનાં ભાવમાં મેક્ષની પ્રાપ્તિમાં પ્રતિબંધક આચારવિચારોથી યુક્ત ત્રિદંડિકપણું પામ્યા. જીવનમાં સંજોગ વશાત્ ધર્મની આરાધના કદાચ અપ પ્રમાણમાં થાય અથવા ન થાય તે તેટલા માત્રથી આત્માનું વધુ પ્રમાણમાં અહિત થતું નથી. પરંતુ શુદ્ધધર્મ માર્ગથી વિપરીત-શ્રદ્ધા અને ઉન્માર્ગ દેશનાનું આવેશભર્યું સ્થાન આવી જાય તે મરિચિના આત્માની માફક અસંખ્ય કાળ પર્યત આત્મકલ્યાણને અનુકૂળ સાધનથી તે આત્માને વંચિત રહેવું પડે છે. ભગવંત મહાવીર પ્રભુના સત્તાવીશ સ્થૂલ ભ પૈકી પંદર ભવો અને તેમના જીવન પ્રસંગને અનુસરતું વિવેચન અહીં પૂર્ણ થાય છે.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy