________________
૩૪.
. શ્રમણ ભગવાન મહાવીર
લા પરત્વે કુલમદ વધુ પ્રમાણમાં શરૂ થયો. શાસ્ત્રોનું એ કથન છે કે જે વ્યક્તિ પિતાને પ્રાપ્ત થનાર અથવા થયેલા કેઈપણ પ્રકારનાં ઉત્તમભાવ અંગે મદમાં આવે તે તે આત્માને ભાવિકાળે તે શક્તિ સંબંધી હલકું સ્થાન પ્રાપ્ત થાય છે. મરિચિએ વધુ પ્રમાણમાં કુલને મદ કરવાથી ઉગ્રભાવે નીચગોત્ર કર્મને બંધ કર્યો, જેના પરિણામે મરિચિનાં ભવ પછી ભગવાન મહાવીરના આત્માને જ્યારે જયારે મનુષ્યપણું મળ્યું ત્યારે ત્યારે અમુક ભવો પર્યત યાચકવૃત્તિના કારણે જેની ગણતરી ઉચ્ચ કુળમાં નથી તેવું બ્રાહ્મણનું કુળ પ્રાપ્ત થયું, યાવતું કિંચિત્ અવશિષ્ટ રહેલા એ કર્મનાં કારણે સત્તાવીસમાં મહાવીરના ભવમાં પ્રથમ દેવાના બ્રાહ્મણની કુક્ષિમાં અવતરવા સાથે વાશી દિવસ સુધી ત્યાં રહેવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
ઉચ્ચ અને નીચત્ર અંગે શાસ્ત્રીય વિચાર
ઉચ્ચત્ર અને નીચ ગગન વિભાગે આજના નથી, પણ અનાદિના છે, શુભાશુભ કર્મના વિભાગમાં એ બને કર્મોનું સ્થાન, એ બન્ને કર્મનાં બહેતુ પણ તત્વાર્થ વગેરે સૂત્ર ગ્રન્થમાં સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યા છે. જેનું જીવન ઉદાર વૃત્તિવાળું અને કેઈપણ વ્યક્તિના વાસ્તવિક ગુણની અનમેદનામાં પરાયણ છે તે આત્મા ઉચ્ચગોત્રને બંધ કરે છે. જ્યારે જેના જીવનમાં ક્ષુદ્રતા છે, આપબડાઈ કરવા સાથે બીજાનાં દૂષણ જેવાની હલકી વૃતિ છે. તે આત્માઓ નીચગેટને બંધ કરે છે, જ્યાં જન્મ