SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૨ પદ ૨ रे घरियारी बाउ रे, मत घरिय बजावे | नरसिर बांध पाघरी, तुं क्या घरिय बजावे रे केवल काल कलाकले, वै तुं कमल न पावे ॥ कमल कला घटमें घरी, मुज सो घरी भावे रे आतम अनुभव रसभरी, यामे और न भावे ॥ આનન્વયન અવિવન વ્યતા, વિના વોર્ડ વાવે રે ॥૩॥ મારા - 11911 રે ઘરિયારી બાઉ રે, મત ધરિય બજાવે, નરસિર બાંધત પાઘરી, તું ક્યા ધરિય બજાવે રે.૧ ७ હે ઘડિયાળી ! બાવરા શું કરવા તું ઘડી ઘડી ડંકા વગાડીને ઘડી પૂરી થયાની ચેતવણી દેવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે ? તું ઘડિયાળ (ડંકા) વગાડવાનું બંધ કર ! તું એમને શું ચેતવવાનો ? આ તો અંગરખું, ધોતી, ખેસ અને માથે પાઘડી ધારણ કરનારા આર્યદેશના વિરતિધર સમકિતિ શ્રાવક એવાં આર્ય (ઉત્તમ) પુરુષો છે. એ તો ચેતેલાં જ છે કે કાલનો શું, આજનો, અત્યારની ઘડીનો કે ઘડીના ચોથા ભાગ એવી પા ઘડીનો પણ ભરોસો રાખવા જેવો નથી. પોતાની ચેતના ચેતેલી છે અને ચેતનવંતી છે, તેથી જ તો તેનો નિર્દેશ કરતી પાઘડી માથે ધારણ કરી છે. માથે કાળ ભમી રહ્યો છે - મોત માથે ભમી રહ્યું છે અને કયારે એ તરાપ મારી કોળિયો કરી જશે તે કહેવાય એવું નથી એની જાણની સૂચક પાઘડી માથે બાંધી છે, તે પાઘડી જે શિરત્રાણ છે, તે સાથે સાથે એ પણ સૂચન કરે છે કે શિર ઉપર રક્ષણ કરનારું દેવાધિદેવ વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર તીર્થંકર ભગવંતનું, એ વીતરાગ તીર્થંકર ભગવંતના પ્રતિનિધિ સ્વરૂપ, ચાહક એને વાહક એવાં પંચાચાર પાલક, પંચમહાવ્રતધારક, ષડકાય રક્ષક, રત્નત્રય આરાધક, નિર્દોષ નિષ્પાપ, નિષ્પરિગ્રહી, નિરારંભી, નિરાલંબ જીવન જીવનાર ગુરૂદેવો અને જિન પ્રરૂપિત આત્મધર્મનું છત્ર છે. આવું સતત સચેત રાખનારું અને સંરક્ષણ કરનારું પાઘડ઼ી સ્વરૂપ છત્ર જેના શિર ઉપર છે એવાં આર્યપુરુષને ચેતવવાની કુચેષ્ટા કરવા રૂપ ઘડિયાળા બજાવવાનું હે બાવરા ! ઘડિયાળી તું બંધ રાખ ! સ્વાધીનપણે કારણનું અવલંબન લઈ જે કાર્ય કરે તે કર્તા છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy