________________
આનંદઘન પદ - ૧
પદ - ૧ (રાગ - વેલાવલ)
क्या सोवे उठ जाग बाउ रे, क्या. ॥ अंजलि जल ज्युं आयु घटत हे,
રેત પદરિયાં ઘરિય વાહ રે. કથા. ૧ાા इन्द्र चन्द्र नागेन्द्र मुनीन्द्र चले, कोण राजापति साह राउ रे ॥ भमत भमत भवजलधि पायके, भगवंत भजन बिन भाउ नाउ रे. क्या. ||२|| कहा विलंब करे अब बाउ रे, तरी भवजलनिधि पार पाउ रे ॥
आनन्दघन चेतनमय मूरति, शुद्धनिरञ्जन देव ध्याउ रे. क्या. ||३|| , કયા સોવે ઉઠ જાગ બાઉ રે, કયા. અંજલિ જલ ય્ આયુ ઘટત હે
દેત પહોરિયા ઘરિય ઘાઉ રે... કયા...૧.
સમયનું મહાભ્ય સમજાવતાં પ્રાપ્ત સ્વસમયનો સદુપયોગ કરી લેવા માટે યોગીરાજજી આનંદઘનજી પોતાના બાલસંયમી ચેતન આત્માને ઢંઢોળતા, પોતે પોતાને સંબોધતા આપણને સહુને પણ ઢંઢોળીને કહી રહ્યાં છે.
હે બાવરા, ભોળા મુરખ જીવ હવે તો જાગ ! કેટકેટલાં અનંતા અવતારો નિગોદ, નરક, તિર્યંચમાં મૂર્ખતામાં, અજ્ઞાનમાં, અંધકારમાં વિતાવ્યા! માનવભવ, માનવદેહ મળ્યો ! સવાર થયું, હવે તો બાવરા જાગ, ઉઠ અને ઉત્થાન કર ! કંઈ કેટકેટલી પુણ્યરાશિ ભેગી થઈ ત્યારે આ મનખા દેહ મળ્યો છે. એ માનવા આયુષ્ય જન્મતાંની સાથે જ એકેક આયુષ્યકર્મના દલિક ખરતાં જઈને પળે પળે સ્વાસે શ્વાસે થતા આવિચી મરણથી ઘટી રહ્યું છે. એ તો ખોબામાં, અંજલિમાં રહેલાં જલની જેમ ક્ષણે ક્ષણે ગળી જઈ રહ્યું છે. એક કવિએ પણ કહ્યું છે...
“બહોત ગઈ થોરી રહી ‘નરાયણ’ અબ ચેતેરૈ, કાલ ચિરૈયા ચુરા રહી, નિશ દિન આયુ ખેત.
શુભ કામમાં જેઓ આગળ વધે છે તેને વધાવવા કુદરત પણ આગળ વધે છે