SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ 3 છે તેનું પ્રયોજન એ દ્રવ્યને પોતાના સ્વભાવથી સ્થિર રાખવાનું છે એવો જે અર્થ અનુરૂલઘુનો કરવામાં આવેલ છે તે આગમગમ્ય, કેવળીગમ્ય છે. આપણા અલ્પ મતિજ્ઞાનની પ્હોંચની બહારનો વિષય છે. 39 અનુરૂલશુના બાર ભાવોમાં માત્ર ઉત્પાદ-વ્યય જ લાગુ પડે છે પરંતુ સંયોગ-વિયોગ, સંકોચ-વિસ્તાર, સર્જન-વિસર્જન, રૂપ-રૂપાંતર, ક્ષેત્ર-ક્ષેત્રાંતર, પરિવર્તન કે પરિભ્રમણ લાગુ પડતાં નથી. દરેક દ્રવ્યનો જે સ્વભાવ હોય, તે સ્વભાવ ત્રણેય કાળમાં જે કારણે અબાધિત રહે તેનું નામ અગુરુલઘુપણું. વળી ત્રણે કાળમાં દ્રવ્યનું અખંડ, અભંગ, અસ્તિત્વ પણ અગુરુલઘુ ગુણને આભારી છે. પાંચે અસ્તિકાયના અનુરૂલઘુ ગુણમાં કોઈ સંયોગ-વિયોગ કે સર્જન-વિસર્જન ન હોવાથી ત્યાં કર્તા ભોક્તા ભાવો લાગુ પડતા નથી. કોઈ રાગ-દ્વેષના ભાવો પણ ત્યાં લાગુ પડતાં નથી. પુદ્ગલ દ્રવ્યમાં પણ સૂક્ષ્મ અથવા બાદર સ્કંધમાં અનુરૂલઘુ ગુણના જે બાર ક્રમિક ભાવોનાં ઉત્પાદ-વ્યય થયાં કરે છે તેનાથી કોઈ વિશેષ દેખાતી પરિવર્તનતા આવતી નથી અને ત્યાં કોઈ કર્તા-ભોકતાના ભાવો થતાં નથી. તે ગુણના નિમિત્તે તે ભાવો વડે કરીને કોઈ હાનિવૃદ્ધિ અને ક્ષતિ પ્હોંચતી નથી. અગુરૂલઘુ ગુણની વિચારણા કરતાં સંસારી જીવોના કર્તા-ભોકતા ભાવ ઉપર, તેમના જ્ઞાન દર્શનના ઉપયોગ ઉપર અને તેના સુખ દુઃખ ઉપર અન્ય દ્રવ્યોના ગુણપર્યાય વડે શું પરિવર્તન આવે તે અપેક્ષાએ જિજ્ઞાસુ ચિંતકે વિચારવું. બાકી અગુરૂલઘુ નામકર્મ એ નામકર્મની એક પ્રકૃતિ છે જે અનુરૂલઘુ ગુણથી ભિન્ન છે અને તેનો અર્થ જુદો થાય છે. ગોત્રકર્મના નાશથી સિદ્ધ પરમાત્માઓના જીવોમાં ઉત્પન્ન થતો અગુરૂલઘુ ગુણ તે સિદ્ધ પરમાત્માના આત્મપ્રદેશોની પિંડાકૃતિ જે તેમના ચરમ (અંતિમ) શરીરથી કદમાં એક તૃતીયાંશ (૧/૩) ઓછી છે અને તે આકારે ઉર્ધ્વગમન ગતિએ સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે એવી ને એવી જ સાદિ અનંતકાળ સુધી રહે છે. એ સિદ્ધાત્માના જીવોના પ્રદેશોના સ્થિરત્વ અને આકૃતિના સમત્વને સૂચવતો
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy