SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ ‘આશા અમર છે’, “પારકી આશ સદા નિરાશ’, ‘કાલનું કામ આજે કરો', ઉતાવળે આંબા ન પાકે - ધીરજના ફળ મીઠાં”. બધાય વિધાન (કહેવતો) પોતપોતાની તે તે અપેક્ષાથી સાચા છે. 22 અસ્તિ અને નાસ્તિ ભાંગાથી જીવે પોતાના અસ્તિ એટલે કે સ્વસમય થા સ્વપર્યાયને જાણી સમજી લઈને જે નાસ્તિ એટલે કે પરસમય ચા પરપર્યાય છે તેનાથી છૂટી જવાનું છે. ‘પર’ છે તે પાકું છે અને પારકું કદી આપણું એટલે “સ્વ” થાય નહિ, પછી તે વિજાતીય હોય કે સ્વજાતીય હોય. તે જ પ્રમાણે જે ‘સ્વ’ એટલે આપણું છે તે કદી પારકું બને નહિ. સ્વમાં સ્વાધીનતા છે. પરમાં પરાધીનતા છે. પર કદી સ્વ થાય નહિ અને સ્વ કદી છૂટે નહિ. એ ન્યાયે આપણે આપણા પોતાના આપણાપણાને જાણીને સમજીને આપે આપમાં સમાઈ જવું, એ જ પરથી છૂટી જઈ કર્મરહિત, નિષ્પાપ, નિપુણ્ય, નિષ્કર્મા, નિષ્કષાય, નિરંજન, નિરાકાર થઈ અસ્યાદ્ બની રહેવું છે. બીજી રીતે આ સ્થાદ્વાદ શૈલીથી સાઘના પદ્ધતિ વિચારીએ તો સ્વ ગુણની અને સ્વ દોષની અસ્તિને જાણી, સ્વદોષ અને સ્વગુણની નાસ્તિને જાણી; અસ્તિરૂપ દોષની નાસ્તિ કરી, નાસ્તિરૂપ ગુણની અસ્તિ કરી; સ્વગુણને અવક્તવ્ય રાખી, સ્વદોષને વ્યક્ત કરી; પરદોષને અવક્તવ્ય રાખી, પરગુણને વ્યક્ત કરી, સ્વમાં સ્થિર થઈ, સ્વ પ્રકાશકતા, સ્વ-પર પ્રકાશકતા, સર્વ પ્રકાશકતા, સર્વોચ્ચ પ્રકાશકતા એવી સર્વજ્ઞતાને સિદ્ધ કરી અવક્તવ્ય (અવર્ણનીય) એવાં નિજસ્વરૂપમાં લીન બની નિશ્ચય (નિજાનંદ)ના મહેલમાં મહાલવાનું છે. સહુ કોઈ સ્યાદ્નાંથી અસ્યાદ્ બને એ જ અભ્યર્થના ! ★★★
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy