SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ 20 પરિશિષ્ટ - ૧ પૂર્ણ-અપૂર્ણ, ગુણ-દોષ, પુય-પાપ, સુખ-દુ:ખ, સંવર-આશ્રવ, બંધન-મુકિત, સાલંબન-નિરાલંબન, સાવરણ-નિરાવરણ એવાં પરસ્પર વિરોધવાચક શબ્દો સાપેક્ષવાદનો ખ્યાલ આપે છે. પૂર્ણની સામે પૂર્ણની સાપેક્ષતા હોય નહિ, કેમ કે પૂર્ણ એક જ ભેદે હોય. તે અદ્વૈત હોવાથી નિરપેક્ષ છે. પરંતુ જે અપૂર્ણ છે, દૈત છે તે અનંતભેદે છે. અપૂર્ણની સામે અપૂર્ણ હોય ત્યારે અનેક અપેક્ષાઓ પરસ્પર ઊભી થતી હોય છે. દરેક દ્રવ્ય પોતાના મૂળભાવ એટલે કે મૂળ સ્વભાવમાં રહેવું તે તેનો અનાદિ સિદ્ધ હક્ક છે. માટે પૂર્ણની સામે અપૂર્ણની અપૂર્ણતાને બતાવનારો વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર પ્રરૂપિત જે સાપેક્ષવાદ છે તે આધ્યાત્મિક સાપેક્ષવાદ છે અને તેથી જ તે લોકોત્તર સાપેક્ષવાદ છે કે જેના દ્વારા આધ્યાત્મિકતાના શિખરે ચઢી મુક્તિ મેળવી શકાય છે. આથી વિપરીત વર્તમાનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઈન્સ્ટાઈનનો જે Theory of Relativity સાપેક્ષવાદનો સિદ્ધાંત છે તે પુદ્ગલાભિનંદી સંસારી જીવો માટેનો સમયે સમયે પરિવર્તન પામનાર એવાં પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ સમજાવનાર લૌકિક સાપેક્ષવાદ છે. એ અપૂર્ણ સાપેક્ષ અપૂર્ણની વિચારસરણી છે જ્યારે જૈન દર્શનનો સાપેક્ષવાદ એ નિરપેક્ષ (પૂર્ણ) સાપેક્ષ અપૂર્ણ એવો સાપેક્ષવાદ છે. આમ છતાં પદાર્થ પાછો પોતાના મૂળ સ્વરૂપે, મીતિકરૂપે તો પોતે પોતાથી જ એવો સ્વયંભૂ-નિરપેક્ષ જ છે. એ મૂળભૂત દ્રવ્ય અનાદિ, અનંત, અનુત્પન્ન, નિષ્પન્ન, સ્વયંભૂ જ છે. વળી એને એના ગુણકાર્યમાં પણ અન્ય પદાર્થની લેશમાત્ર અપેક્ષા નથી. આમ સાપેક્ષનું મૂળ નિરપેક્ષ જ છે અને એનું ફળ તમાંથી અદ્વૈત, દ્રામાંથી નિર્ટ થવા રૂપ સુખદુઃખમાંના કંઠમાંથી મુકતા થઈ નિતિ આનંદ સ્વરૂપ બનવારૂપ ફળ નિરપેક્ષતા છે, જ્યાં કોઈના સાથ, સહકાર, સહયોગ, મૈત્રીની આવશ્યકતા નથી. બાકી જ્યાં સાપેક્ષતા છે ત્યાં પ્રેમ, સાથ, સહકાર, સહયોગ, નેત્રીની અનિવાર્યતા છે. નહિ તો સંઘર્ષ નિર્માણ થાય છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy