SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ ભવભ્રમણતાવાળું, સાવરણ એટલે કર્માચ્છાદિત જણાતું હોવાથી કહે છે કે કથંચિત્ આત્મા નથી જ. કથંચિત્ પરમાત્મા નથી જ. આ દ્વિતીય સ્થાન્નાસ્ત્યવ ભાંગાથી વિચારણા થઈ. 16 વળી કેવળજ્ઞાનમાં સંસારી જીવોના આત્મપ્રદેશો કર્મસહિત અને કર્મરહિત શુદ્ધ પરમાત્મા સ્વરૂપે ઉભય જણાતા હોય છે તેથી કહે છે કે આત્મદ્રવ્ય સ્વરૂપથી એના શુદ્ધસ્વરૂપમાં કર્મરહિત પરમાત્મા છેપણ વર્તમાનદશા કર્મસહિત અશુદ્ધ હોવાથી અને પર્યાય બદલાતાં હોવાથી તે અપેક્ષાએ કથંચિત્ આત્મા છે પણ નથી જ અને કથંચિત્ પરમાત્મા છે પણ નથી જ. આ તૃતીય “સ્વાદસ્તિનાસ્તિ ચૈવ’ ભાંગાથી વિચારણા થઈ. હવે ચોથો ભાંગો જે ‘સ્વાદવકતવ્ય એવ' છે, એમાં વક્તવ્યની અસમર્થતાથી અવકતવ્ય જણાવેલ છે. વક્તવ્ય એટલે વચનયોગ. વચનયોગ ભાષાવર્ગણાના પુદ્ગલોનો બને. પરંતુ જીવના ઉપયોગ અર્થાત્ ચેતના વડે કરીને જ ભાષાવર્ગણાના પુદ્ગલો વચનયોગરૂપે પરિણમે છે. આમ વચનયોગના મૂળમાં જીવના ઉપયોગની મુખ્યતા છે. મન, વચન, કાચાના યોગ બને પુદ્ગલના પણ હોય જીવને ! એટલા જ માટે તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં ‘યોગ ઉપયોગો નીવેપુ” સૂત્ર આપેલ છે. જ્ઞાનના ત્રણ ભેદ છે. (૧) જ્ઞાન સાવરણ હોય કે નિરાવરણ હોય. (૨) જ્ઞાન ક્રમિક એટલે કે સવિકલ્પક હોય કે અક્રમિક એટલે નિર્વિકલ્પક હોય અને (૩) જ્ઞાન અપૂર્ણ હોય કે પૂર્ણ હોય. પૂર્ણ, અક્રમિક, નિરાવરણ જ્ઞાન એક માત્ર કેવળજ્ઞાન છે. સયોગી કેવળી ભગવંતોના વચનયોગ પણ ક્રમિક છે અને છદ્મસ્થનો વચનયોગ પણ ક્રમિક હોય છે. કારણ કે વચનયોગ પુદ્ગલનો બને છે અને પુદ્ગલ દ્રવ્યનું પર્યાય સ્વરૂપ સ્વભાવથી જ ક્રમિક છે. સર્વજ્ઞ કેવળીભગવંત કે અસર્વજ્ઞ છદ્મસ્થ, પુદ્ગલ સાથે ભળીને ક્રિયા કરે કે જ્ઞાનીને સહજ ક્રિયા થાય તો તે ક્રમિક જ
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy