SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૫૦ ૩પ૭ પદ - પ0 (રાગ : ધન્યાશ્રી) अनुभव प्रीतम कैसे मनासी ॥ अ. || छिन निर्धन सघन छिन निर्मल, समलरूप बतासी ॥ अनु. ||१|| छिनमें शक्र तक्र फुनि छिनमें, देखू कहत अनासी । विरज न विश्व आपा हितकारी, निर्धन झूठ खतासी ॥ अनु. ॥२॥ तोही तूं मैरो मौहे तुं तेरी, अन्तर काहैं जनासी। आनन्दघन प्रभु आन मिलायो, नहि तर करो घनासी ॥ अनु. ॥३॥ જીવમાં જ્યારે વિવેકની આંખ ઉઘડે છે ત્યારે તે સત્યની શોધમાં ઊડે ને ઊંડે અંતરની ગહરાઈમાં ડુબકીઓ મારે છે અને તે દ્વારા જગત કેવું છે ? આત્મા કેવો છે ? એ જાણવા હવે તે તત્પર બને છે. વિષય પિપાસા મોળી પડવાથી તેને હવે આલોકને બદલે પરલોક અને પરલોકના વિચારો આવે છે. જન્મ અને મૃત્યુની નિશ્ચિંતતા હોવાથી હવે સંસારના સુખો વિશ્વસનીય રહેતા નથી. અંદરના પરમ સત્યને પામવા તે જ્ઞાનમાં ડૂબકી મારે છે, તે વખતે જ્ઞાનદર્પણમાં જુદી જુદી જાતની અનુભૂતિ થાય છે. એમાંની કેટલીક અનુભૂતિઓ પ્રકૃતિજન્ય હોય છે, તો કેટલીક આત્મસંબંધી હોય છે. આત્મા વારંવાર પ્રકૃતિના ફંદામાં ફસાઈ જતો હોય છે. આ પરિસ્થિતિમાં મહાત્મનું આનંદઘનજી અનુભવી વિવેક મિત્રની સલાહ-માર્ગદર્શનને પ્રાર્થે છે કે “અનુભવ પ્રીતમ કેસ મનાસી”. આવી અંતર મથામણની આંતરીક અભિવ્યકિત અને એમાં અનુભવ મિત્ર વિવેકના માર્ગદર્શનની વાતો આ પદ દ્વારા યોગીરાજ કવિશ્રી કહી રહ્યાં છે. અનુભવ પ્રીતમ કેસે મનાસી અ. છિન નિર્ધન સઘન છિન નિર્મલ, સમલરૂપ બતાસી. અનુ૧. જયારે કોઈ પણ વસ્તુની તડપન વધી જાય અને તે ન મળે, તેનાથી જેને બધે ફાવશે, બધું ચાલશે, તે બધામાં ભળશે અને સમરસ થઈને રહેશે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy