________________
આનંદઘન પદ - ૪૮
33७
५६ - ४८
(२।। : माली ) मायडी मुने निरपख किणही न मूकी || निरपख ॥
माय. ॥ निरपख रहेवा घणुंही झूरी, धीमे निजपति फूंकी ||
माय. ॥१॥ योगीयें मलीने योगण कीनी, यतियें कीनी यतणी ॥ भगतें पकडी भगताणी कीनी, मतवाले कीनी मतणी ॥ माय. ॥२॥ केणे मुकी केणे लूंची, केणे केसे लपेटी ॥ एक पखो में कोइ न देख्यो, वेदना किणही न मेटी ॥ माय. ॥३॥ राम भणी रहीमान भणाई, अरिहंत पाठ पढाई ॥ घरघरने हुं धंधे वळगी, अळगी जीव सगाई ॥
माय. ॥४॥ केणे ते थापी केणे उथापी, केणे चलावी किण राची ॥ केणे जगाडी केणे सूआडी, कोइनु कोई नथी साखी ॥ माय. ॥५॥ धींग दुर्बलने ठेलीजे, ठींगे ठींगो वाजे ॥ अबला ते केम बोली शकिये, वड योद्धाने राजे ||
माय. ॥६॥ जे जे कीधु जे जे कराव्यु, तेह कहेती हु लागँ ॥ थोडे कहे घणुं प्रीछी लेजो, धरशुं तीरथ नहीं बीजं ॥ माय. ॥७॥ आप वीती कहेतां रीसावे, तेथी जोर न चाले ॥ आनन्दघन वहालो बांहडी जाले, तो बीजं सघलुं पाले ॥ माय. ||८||
સમતા જે આતમાનો - ચેતનનો સહજ સ્વાભાવિક ગુણ-સંપદા છે, તો તેની સામે તેનો વિરોધી, ભાવિક ગુણ મમતા પણ જીવાત્મામાં હાજર હોય છે. સમતા સમસ્થિતિ એવી વીતરાગતા, સ્વાધીનતા-મુતતાની ચાહક છે અને વાહક છે. જ્યારે એનાથી વિપરીત મમતા સંસારભાવ કે જે વિષમસ્થિતિ છે, જ્યાં રાગ છે, જ્યાં પરની માયાથી પરમાતા છે તેની મોહક છે.
જો નજર આતે હૈ, વો નહિ અપને, જો હૈ અપના વો નજર નહીં આતા.