SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 38. કેવી હતી? પરિણામની ધારા સંસાર ભાવથી વિરકત થતી જાય છે. દૃષ્ટિ આત્મા તરફ વિશેષ રહે છે અને ધારા વૃદ્ધિ પામતી જણાય છે.” અનાહત્ નાદ પાંચ પ્રકારે ૧) ઘંટનાદ ૨) ઝાલરનાદ ૩) ઘંટડીઓનો નાદ ૪) તબલા-પખવાજ ૫) વીણાવાદ. “સાધકનો આત્મા જયારે પરમ તત્વની ખોજમાં અંતરના ઊંડાણમાં જેમ ઉતરતો જાય છે તેમ તેમ તેના આત્માની નિર્મળતાથી જ્ઞાન-દર્શનને આચ્છાદિત કરતા કર્માવરણો ક્ષય થતા જાય છે, આતમઘર એટલે આત્માનું હૃદય માંદિર પવિત્ર બનતું હોવાથી તેમાં પોતાના પરમાત્મ તત્વનો વાસ થતાં પ્રથમ ઘટનાદ પ્રગટે છે. અને મે મે અન્ય બાદ પ્રગટે છે તેનો અનુભવ થાય છે બીજા સાંભળી શકતા નથી.” સાધકની શ્રદ્ધામાં તેનાથી અતિ બળ પેદા થાય છે અને આગળના પંથે વધવા તેની હોંશ વધે છે. કર્મ સામેના યુદ્ધના સમરાંગણમાં સાધક પ્રવેશતાં ભેરી-દુંદુભી અને નોબત નાદ ગગડે છે. આ મિથ્યાત્વ મોહ ઉપર આત્મસત્તાએ જીત મેળવતી વખતે સમ્યક્ત્વ પ્રાપ્ત થયાની નિશાની રૂપે અંદરમાં દુંદુભી નાદ સંભળાય છે. પછી મહાનાદ - સિંહનાદ જેવો ગર્જના ધ્વનિ સંભળાવા માંડે છે જે કર્મસમુહોમાં કંપન પેદા કરે છે. પછી મેઘનાદ થાય છે જે આત્માની અનંત શકિતનો અનુભવ કરાવે છે અને મોહના દેવો ભાગવા માંડે છે. છેલ્લે સમુદ્રનાદ પ્રગટે છે જે પ્રચંડ ગંભીરતાનો અને ગહનતાનો અનુભવ કરાવે છે. | બાપા કહે છે: દરેક માનવીને સંસારની અસારતાનું ભાન કરાવવા કુદરત ઘણી વખત તકો આપે છે પણ અજ્ઞાન અને મોહથી ગ્રસ્ત આત્મા, પારાવાર સંસારના કુખોનો ભોગવટો કરવા છતાં ચેતતો નથી. જ્ઞાનીઓ કહે છે કે આવા દુઃખોથી વરાગ્ય આવવો જોઈએ અને ઉદાસીનતા આવવી જોઈએ પણ જીવને આમ થતું નથી તેથી તેને માટે ધર્મ પામવું દુર્લભ સમજવું. જ્ઞાનીઓએ માનવદેહને રત્નની ખાણ કહી છે. સાત ચકોઃ મુલાધાર ચક્ર - બે કીડની વચ્ચે સર્પાકાર - કુંડલિની શકિત સ્વાધિષ્ઠાન ચક્ર - નાભિ અને કીડની વચ્ચે મણિપુર ચક્ર - નાભિ પર અનાહત્ ચક્ર - હૃદયમાં વિશુદ્ધ ચક્ર - કંઠમાં આજ્ઞા ચક્ર - કપાળના મધ્યમાં તિલકને સ્થાને. સહસ્ત્રાર ચક્ર - બ્રહ્મરંધ્રમાં આ માનવદેહને રત્નચિંતામણિ સમાન દુર્લભ કહ્યો છે તે એ રીતે કે બીજાં શરીરો બધા અપૂર્ણ, અવિકસિત અંગ-ઉપાંગો, અપૂર્ણ પાંચ ઈન્દ્રિયો (ઓછી-વત્તી ઈન્દ્રિયો), ભાષા નહિ. વાંચન, મનન, ચિંતન અને વિચારક શક્તિ યુકત એક માનવ શરીર જ
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy