SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૪૫. ૩૨૩ બની જ્યારે વિચારે છે ત્યારે વાત ગોરી - વજુદવાળી લાગતી નથી. ચેતન તો તે છે કે જે પ્રત્યેક સમયે ચેતતો રહીને ચેતીને ચાલે. ચૈતન્યરત ચેતનાની ચીતિ (ચેતનાકાર્ચ) તેજ ચેતન્યતા. એમાં કેવળ સજાતિયપ્રવાહ હોય છે. એ વિજાતિય વહેણ (વહેવા - તણાવાપણું) નથી પણ સજાતીય પ્રવાહણ છે. દ્રવ્યના (ચેતનના) દ્રવ્યત્વ (ચેતનત્વ)નું શ્રવણ છે. બાકી તો પોતે ચેતના હોવા છતાં પોતાની ચેતના જે જ્ઞાન - દર્શન - આનંદ છે તે સ્વપે પ્રવાહિત - પ્રવર્તિત નહિ થતાં વિજાતીયના વહેણમાં વહે છે - તણાય છે - ખેચાય જાય છે અને તેમાં હું પણાની અને મારાપણાની કુબુદ્ધિ કરે છે, તેને તો ચેતન કહેવાય જ કેમ ? એ વિજાતીય સંબંધેને કારણે છયે દ્રવ્યોમાં સર્વોચ્ચ સ્વ પર પ્રકાશક આનંદ સ્વરૂપી જીવજાતિનો અને સિદ્ધના ઉત્તમકુળનો સહજાનંદી સહજ શુદ્ધસ્વરૂપી અવિનાશી આત્મા વિનાશી, નામી, રૂપી, ગુરૂલઘ, બાધ્યબાધક ભાવથી સુખી દુ:ખી દેહધારી પરાધીન બન્યો છે. અને એવો હીન સંસારી બની ચૌદ રાજલોકમાં ભ્રમણના આદિ (વ્યસની) એવાં પુદ્ગલના રવાડે ચઢી. ચારેગતિમાં રઝળનારો રખડુ બન્યો છે. ચેતન કહે છે કે હે મમતા અત્યાર સુધી તેં મને તારા પાશમાં ફસાવ્યો. હતો - ચેતનાની વાત લઈએ તો ચેતના કહે છે કે હે મમતા તેં મારા ચેતનને મારાથી છીનવી લઈને એને તેં તારી બાંહોમાં જકડી રાખ્યો હતો તેથી પ્રભુના - પરમાત્માના દરસન - દર્શન, પરસન - સ્પર્શન (પરમાત્મભાવ સ્પર્શના), તાન એટલે પરમાત્માની લગન - પરમાત્માના ગાન - કીર્તન - ભજનથી વેગળો (વંચિત-અળગો) રાખ્યો હતો. પરંતુ હવે આપ્તપુરુષોની આપ્તવાણી અને સ્વાનુભૂતિથી હું જાગૃત થયો હોવાથી મારા બધાંજ દિવસો (સબ દિન) પ્રભુ પરમાત્માના દર્શન, વંદન, અર્ચન, ભજન, કીર્તન અને પરમાત્મસ્વરૂપ રમણમાં પસાર થતાં હોવાથી સારોય સમય ચિત્ત પ્રસન્નતા વર્તે છે. કાયયોગથી સ્થાપના નિક્ષેપે રહેલા પરમાત્માના કાયયોગનું પૂજન કરી, વચનયોગથી પરમાતમાના ગુણગાન સ્તુતિ સ્તવન કરતાં તથા પરમાત્માના વચનોનું શ્રવણ, મનન, ચિંતન, પઠન, પાઠન વડે પ્રભુના વચનયોગની પૂજા કરી તેમજ પરમાત્માની શુકલલેશ્યા જેવી છે એવી શુકલલેશ્યા કે તેજો પદ્મા સંયોગો વિયોગી સ્વભાવવાળા છે, માટે સદાકાળના સાથી આત્મામાં સ્થિર થા!
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy