SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૪૨ ૩૦૭ અને કાળ વ્યવહારમાં સમાનાર્થી પર્યાયવાચી શબ્દો છે તેથી તેને વિટ અક્ષર દો કહ્યાં છે અને તે બેનો ઉહાપોહ નિ:શંક - નિશ્ચિત જીવને સુખ-દુઃખ, શાતા-અશાતા, જનમ-મરણથી પર અજરામર અવિનાશી આનંદઘન બનાવનારા હોવાથી નિપટ નિકટ અક્ષર દો કહેલ છે. હવે જો અક્ષરનો અર્થ બારાખડીના - વર્ણમાળાના વર્ણાક્ષર કરવામાં આવે તો શ્રીયુત મો. ગિ. કાપડિયાએ અર્થઘટન કર્યા મુજબ વર્ણમાળાના સ” અને “હ” તથા “શ” અને “વ” નું સ્મરણ કરશે એટલે કે શ્વાસોશ્તાસ દરમિયાન સોડહં કે શિવ-શિવ નો જાપ કરશે તે આનન્દઘન બનવાના માર્ગે ઉધ્ધકરણ કરશે અને જે સ્મરણ નહિ કરશે તે એવાં મરશે કે જેથી જનમમરણના ચોર્યાસીના ફેરમાં ફરશે. પદનો બોધ એ છે કે જીવે પોતાના શદ્ધ-ચોખા, સ્વાધીન, સ્થિર, નિત્ય-અજરામર અવિનાશી, અકાલ આનંદ સ્વરૂપને સમજી લઈ, કાલ અને મોતનો વિચાર કરી, સતત મરણને દષ્ટિ સન્મુખ રાખી, પ્રાપ્ત આયુષ્યકાલમાં અમરત્વને પ્રાપ્ત કરી આપનાર સરકૃત્વને, મરણ પૂર્વે મેળવી લઈ મોતથી નિર્ભય બની જવું જોઈએ. તે માટે યુદ્ધના ધોરણે કામગીરી બજાવવાની છે. યુદ્ધની ભૂમિ પર રહેલા ક્ષત્રિય સુભટને શું ખાવુ? શું પીધું? કોણ આવ્યુ ? કોણ ગયુ? તેનો કશો જ ખ્યાલ હોતો નથી; તેની તો એકજ લેયા હોય છે કે બસ, શત્રને કેમ જીતવો ? તેમ સંસારની બધી પ્રવૃત્તિઓમાંથી મન ખેચી લઈ, જે વખતે જે આવ્યું તે ચલાવી લઈ, નભાવી લઈ રાત’દિ મોહ અને અજ્ઞાનનો નાશ કરવામાં ઉપયોગને લયલીન કરવાનો છે. તો જ ઉપરોક્ત કાર્ય સાધી શકશુ અન્યથા નહિ. મુક્તિમાર્ગનો પ્રવાસી નિશ્ચિતપણે અનુભવે છે કે તેનું સાચું સ્વરૂપ શાસ્વત એવા આત્માને ક્ષણિકતાથી અલગ કરનારું અને પોતાની સહજ અવસ્થામાંથી કદી ગ્રુત ન થનારું છે. આત્મા વિનાના પદાર્થોનો વિચાર કરવામાં વેડાતી સણો, આત્મ ખોજ માટે ખર્ચાય તો બહુ ટૂંકા સમયમાં આત્મસાક્ષાત્કાર થાય તેમ છે. ભાવમાં કર્થાત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયામાં સંપૂર્ણ પરસત્તા છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy