SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૪૧ પ્રતીકરૂપ એને ઉડાડો છો કે અંગે લગાવો છો. પરંતુ હું પતિ ચેતનની વિયોગીની તો મારા ચેતનનું જ - શુદ્ધાત્માનું રટણ કરતી ધ્યાનાગ્નિને રોજેરોજ જલાવી (જરે) મારા કર્મોની રાખ કરી રહી છું, જેમાં નોકર્મરૂપી આ મારા તન-શરીરની પણ દેહભાવ છોડવા રૂપ રાખ કરું છું. આમ પણ સાધનાના અધ્યાત્મમાર્ગમાં સાધ્યની સિદ્ધિ થતાં અર્થાત્ મારું ચેતનાનું મારા ચેતનથી અભેદ સંધાતા ઉપકરણ છૂટી જનાર છે, કરણ (શરીર)ની રાખ થનાર છે અને અંત:કરણ ચેતનમય પરમાત્માસ્વરૂપ બની જનાર છે. યોગીરાજ કહે છે કે જેવું મારા ચૈતન્ય સ્વામીનું રૂપ છે, તેવું જ સમાનરૂપ બનાવવા એટલે કે સમરૂપ થવાં અર્થાત મારા પર્યાયને, એ જેના આધારે છે તે શુદ્ધદ્રવ્ય - શુદ્ધાત્મા જેવી શુદ્ધ-નિર્મળ બનાવવા, હું ચેતના મારા ચેતનનું ધ્યાન ધરતી સમત્વયોગમાં રહું છું. સમતા મહેલ બિરાજહે, વાણીરસ જાહો; બલિ-આઉ આનન્દઘન પ્રભુ, ઐસે નિહુર હૈજા હે. પિયા..૬. હે આનન્દનાઘન ચેતવ્યપ્રભુ આવા નિષ્ફર ન થતાં જો તમે એ નિષ્ફરતાને વહાવી દઈ મારા ચેતનાના સમતા મહેલમાં પધારી ત્યાં બિરાજમાન - સ્થિર થઈને આપની આત્મામૃતરૂપ વાણીરસ રેલાઓ (રજાહો) - વહાવો તે માટે મારે જે બલિદાન આપવા પડે, ત્યાગ કરવો પડે અને જે કાંઈ સહન કરવું પડે તે કરવા હું તમારી ચેતના - તમારી સમતા તૈયાર છું! કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા અનંત ગુણધામ છે. એ કોઈ રાજાના રાજમહેલ જેવો ભવ્ય, દિવ્ય, રમ્ય, સત્યમ શિવમ સુંદરમ્ સ્વરૂપ છે. પરંતુ એ માટે સ્વામી ચેતને પોતાની સમતા-ચેતના પ્રતિની નિષ્ફરતા-કઠોરતાવિમુખતાને વહાવી (ત્યાગી) દેવી પડે. નિકુર છે તે નઠારા છે કારણ કે તે પોતે કરતા નથી અને અન્યને ઠારતા પણ નથી. રેલો હોય તે માટે અને બળેલો હોય તે બાળે. પોતાને આનન્દઘન સ્વરૂપ તરીકે ઓળખવો પડે એટલે કે એની પ્રતીતિ - અનુભૂતિ કરવી પડે. એ માટે મમતાના કુસંગથી પેદા થયેલા કટુ વાણી, વિચાર, વર્તનના કુછંદો - કુસંસ્કારો છોડવા પડે. જાત પ્રત્યેની નઠોરતા અને કઠોરતા રૂપ અવગણાને ત્યાગીને જાતની ઓળખ કરી મૃદુતા, મુલાયમતા, સમરસતા, વિશાળતા, વીતરાગતા કેળવવા પડે. એ માટે સ્વ પ્રતિ. ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણકે પારdવ્ય એને ખટકતું નથી.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy