SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ આનંદઘન પદ - ૩૯ પદ - ૩૯ (રાગ જય જયવતી) तरसकी जह दइ को दइकी सवारीरी । - तिक्षण कटाक्ष छटा लागत कटारीरी ॥ તર. | HIGH ९१ सायक लायक नायक प्रानको पहारीरी । . काजर काज न लाज बाज, न कहुं बारीरी ॥ तर. || ||२|| मोहनी मोहन ठग्यो, जगत ठगारीरी । दीजिये आनन्दघन, दाह हमाहीरी | तर. || ||३|| પૂર્વભવમાં કે પૂર્વકાળમાં જીવે અજ્ઞાનદશામાં રહીને ત્રિકરણ યોગે ક્રોધાદિ ભાવો સેવ્યા હોય, બીજાને ભય પમાડ્યો હોય, સતાવ્યા - રંજાડ્યા હોય, પ્રાણ હર્યા હોય, તેના કારણે ભયંકર કોટિના કર્મબંધ બાંધ્યા હોય; જે ઉદયમાં આવતા અજ્ઞાનદશા - નિદ્રાકાળમાં જે દશ્યો છતાં થાય છે તેને અજાગ્રત સ્વપ્નદશા કહેવાય છે, જયારે જ્ઞાનદશા પ્રગટ્યા પછી જ્ઞાનીને નિદ્રાકાળમાં જે દશ્યો દેખાય તે જાગ્રત સ્વપ્નદશા કહેવાય છે. સંસારી અજ્ઞાની જીવોને એ . સ્વપ્નના સંકેતો સમજાતા નથી. પરંતુ જ્ઞાની સાધક આત્માઓ આવાં સ્વપ્ન સંકેતોને પામી જઈ શકે છે, તેથી આ જાગૃત સ્વપ્નવસ્થાના સ્વપ્નદશ્યોની અસર સૌ પ્રથમ તેમના મન પર થાય છે. આના ફલસ્વરૂપ મન વિકૃત થઈ ખળભળી ઉઠે છે. ચિત્તના આ હલબલાટની અસર સુમતિ અને સમતા ઉપર થાય છે. ચિત્તના આ ડહોળામણ - ખળભળાટથી સુમતિ હતપ્રભ થઈ જાય છે અને સમતાની સમવૃત્તિ (સમત્વ) મમતાની વિષમતાથી ડગમગી જવાથી તેણીના (સમતાના) અબળા નારી સ્વભાવ - પરમ નરમ સ્વભાવના કારણે તે પોતાના પ્રાણપતિ ભગવાન આત્માને સ્વપ્નની વિતક કહાની ઓલંભડા રૂપે કહે છે, જે વાતને યોગીરાજજી આનંદઘનજી મહારાજે ભારે ચતુરાઈપૂર્વક ગૂંથી લીધી છે. તરસકી જહ દઈ કો દઈકી સવારીરી; તિક્ષણ કટાક્ષ છટા લાગત કટારીરી. તર૧. આત્મા અંત:કરણ સ્વરૂપ નથી. એ તો અંત:કરણનો માત્ર જ્ઞાતાદૃષ્ટા છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy