SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૩૮ ૨૭. પદ - ૩૮ (રાગ - મારુ) मनसा नट नागरसूं जोरी हो. ॥ म. ॥ नट नागरसूं जोरी सखी हम, और सबनसों तोरी हो ॥ म. ॥१॥ लोक लाजसूं नहीं काज, कुल मरयादा छोरी हो । નો વટ ફ વિરાનો, અપનો યત ન કોરી હો || . |૨ | मात तात अरू सज्जन जाति, बात करत है मोरी हो। વાવે સાચું કરી છૂટે, સુરિજન સુરિન ટોરો રો | . || 3 || औरहनो कहा कहावत औरमें, नाही कीनी चोरी हो। काछकछयो सो नाचत निबहे, और चाचर चर फोरी हो ॥ म. ॥ ४ ॥ ग्यान सिंधू मथित पाई, प्रेम पीयूष कटोरी हो । मोदत आनन्दघन प्रभु शशिधर, देखत द्रष्टि चकोरी हो ॥ म. ॥ ५ ॥ સમતારૂપી ચેતના અને મન વચ્ચે થઈ રહેલા સંવાદને યોગીરાજજી આનંદઘનજી અલિપ્ત રહી તટસ્થભાવે નિહાળી રહ્યા છે, તેનું પ્રકાશન આ પદ દ્વારા કરતાં જણાવી રહ્યાં છે કે સંબંધ સાચો તો ચેતના અને ચેતનનો છે પણ વચ્ચે આડું મન આવે છે. મનમાં ચાલતા સંકલ્પો વિકલ્પો - મનમાં ચાલતું ચિત્રામણ એ જ તમાશો - નાટક છે. અને એજ તો નટનાગરની બાજી છે. મનના આ તમાશાને - નાટકને મનથી અળગા થઈ, પ્રેક્ષક બની શાંતા ભાવે જોઈ લેવું. એમાં ડખો ડખલ ન કરવા અર્થાત્ વચ્ચે નહિ આવવું. એજ વડિલનું વડિલપણું, શાણાનું શાણપણ અને પુરુષની મર્યાદા છે. મર્યાદા પુરુષ પુરુષોત્તમની આજ મર્યાદા છે. મર્યાદાનું ઉલ્લંઘન કરનાર પુરુષો પુરુષોત્તમ બની શકતા નથી અને પુરુષોત્તમ બનનારા સંસારમાં લાંબો સમય રહી શકતા નથી. કર્મસત્તાને એને મુક્ત કરવાની ફરજ પડે છે. સંસાર નાટકને - તમાશાને શાંતભાવે જોતાં પ્રત્યેક સમયે મનનું વિલીનીકરણ થઈ જ્ઞાતાદષ્ટા ભાવે જીવાય તો જ સંસારના ઋણ પૂર્ણ થાય.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy