SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ આનંદઘન પદ - ૩૧ સુખ પ્રાપ્ત થાય છે, જયાં પછી જન્મ નથી, જરા - ઘડપણ નથી અને જન્મ નથી એટલે મરણ પણ નથી એટલે કે એ અમૃતના પાન છે. એટલે જ સમતા હવે સીધેસીધું મમતાને જ કહે છે કે અલી મમતા તું બહુ ફિસિયારી નહિ માર ! ઉ તરફ - તારી તરફ તો દુ:ખોનો કોઈ અંત જ ના આવે એટલાં અંત વગરના અનંતાનંત અંતહીન દુ:ખો છે જયારે ઈ તરફ - આ તરફ • મારી પડખે તો સદાબહાર વસંતમાં જ આનંદના પિંડ બની આનંદના ગેડીદડે વસંતવિહાર (ક્રીડા-ખેલ) કરવાનો છે કે જ્યાં સુખનો અંત નથી અને દુઃખનું નામ નિશાન નથી. વળી આ સુખ પણ પ્રત્યેક જીવ ઈચ્છી રહ્યાં છે 2 us (Pure), ziųer (Perfect), 241chot (Personal), 247221 (Paramount1) 210 21/2011 (Permanant) 8. આ પદનો બોધ એ છે કે મમતાના મોહમાં પ્રમત્તતામાં લપસી નહિ પડતાં, સમતાના સથવારે અપ્રમત્ત (જાગૃત) દશામાં રહી શ્રેણિએ ચઢી શ્રેય સાધી લે જેથી મરણથી છૂટાય અને અમરપદ સ્વપદે - સિદ્ધપદે આરૂઢ થવાય. શ્રુત કેવલી બનેલા અને ઉપશમશ્રેણિ દ્વારા વીતરાગતાનો આસ્વાદ ચાખી ને આવેલા અનંતા આત્માઓ આજે પ્રમાદનો ભોગ બની નિગોદમાં રઝળી રહ્યાં છે તેમજ પૂર્વમાં નરકાયુનો બંધ કરી પછી સમ્યફત્વ પામી જિન નામકર્મ નિકાચિત કરી નરકે ગયેલા અને પહેલી, બીજી, ત્રીજી નરકમાં રહેલા અસંખ્યાતા ભાવિ તીર્થંકરના આત્માઓ આજે નરકમાં ઝૂલી રહ્યાં છે. આવી લોકસ્થિતિને જાણીને હે ચેતન ! તું પ્રમાદનો ત્યાગ કર. મમતાના ઘરમાંથી પાછો ફર અને સમતાના ઘરમાં આવશે. ત્યાં સ્થિરતા પામ તો તને તારું નિજઘર વીતરાગતા. અવશ્યમેવ મળશે. માત્ર જરૂર છે તારે જાગવાની. જાગ્યો ન જો ઘટ વિષે તો રાત્રિએ વૃથા જાગવાથી શું ? ત્યજ્યા ન જો દોષ દિલ તણા, તે ઘર ત્યાગવાથી શું ? માનવભવની પ્રાપ્તિ પુણ્યથી છે પણ સફળતા સમ્યગ્દર્શનથી છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy