SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૩૧ પદ - ૩૧ (શ્રી રાણ) कित जान मते हो प्रान नाथ, इत आप निहारी घरकी साथ. ॥ कित. ॥ ૨૨૭ उत माया काया कब न जात, यहु जड तुम चेतन जग विख्यात । उत करम भरम विष वेली अंग, इत परम नरम मति मेलि रंग ॥ ति. ॥२॥ 11911 उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान । अलि कहे समता उत दुःख अनंत, इत खेले आनन्दघन वसंत ॥ ति. ॥३॥ કિત જાન મતે હો પ્રાન નાથ, ઈત આપ નિહારો ઘરકી સાથ. કિત..૧. પૂર્વના ૩૦મા પદના અનુસંધાનમાં યોગીરાજજી આ પદમાં મમતાના પક્ષે શું ગુમાવવાનું છે અને સમતાના પક્ષે શું મેળવવાનું છે એનું કથન કરી રહ્યાં છે. પ્રમત્ત (અજાગૃત) અને અપ્રમત (જાગૃત) દશામાં, સવિકલ્પધ્યાન અને નિર્વિકલ્પધ્યાન મમતા અને સમતામાં, બહાર-પરઘર-પરસત્તા અને ભીતર-સ્વઘર-સ્વસત્તા વચ્ચે ઝોલા ખાતા ચેતનને એની સુમતિ ચેતના ચેતાવી રહી છે - જાગૃત કરી રહી છે. - હે ! મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ધારક મારા પ્રાણનાથ સ્વામીનાથ આપની મતિને - આપના મતને (મતે), આપની જ્ઞાયક શકિતને આપ (કિત) કઈ તરફ વાળો છો ? કઈ તરફ (જાન) જવા દો છો ? ઈત એટલે ઈ તરફ જરા આ તરફ આપ નિહારો - નિહાળો તો આપને જણાશે કે આ બાજુ તો ઘરનો અને ઘરના સાથીઓનો એટલે કે અનંતશકિતના પુણ્યયોગ છે પણ આત્મયોગ નથી.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy