SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - २७ ખગ પદ ગગન મીન પદ જલમેં, નું અર્થઘટન સ્વાનુભવ સંપન્ન ખીમજી બાપાએ એમની આગવી રીતે કર્યું છે કે ખગોળ વેત્તા આકાશમાં રહેલાં મેષ, મીન, મકર, કુંભાદિ રાશીઓ; સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શની, રવિ, રાહુ, કેતુ, આદિ ગ્રહો; તારામંડળ, સૂર્યચંદ્રાદિની ચાલના આધારે ભવિષ્યકથન કરનારા અને મુખેથી રામનામનું ઉચ્ચરણ કરતાં પારકા વરકન્યાના જોડા મેળાપ કરાવી ગોરપદું કરનારો બ્રહ્મસમાજ; જમીનના પેટાળ-ભૂતલમાંથી જલસ્ત્રોત, સોના, રૂપા, હીરા, માણેક, પન્ના, નિલમ, આદિ કિમતી ખનીજ પદાર્થો કે તાંબુ, લોખંડ, કોયલા, ગેસ આદિ પદાર્થોની માહિતિ ધરાવનાર પદધારકોના ધનલાલસાથી પ્રેરાઈ ધરતીમાને ચીરવાના કાર્યો કરનારા ઉદ્યોગપતિઓના વ્યવસાય, નદી દરિયાદિની જલરાશિમાં વહાણો ચલાવનારા, માછીમારી આદિનો વ્યવસાય કરનારા પાપપુણ્યની પરવા ન કરનારા, જીવહિંસા કરનારા માથા ફરેલા બાવરા માણસો જો રામ રામ બોલવા દ્વારા પરમાતમપદે પ્હોંચવાના મનોરથ સેવતા હોય તે સર્વે પાગલ મૂરખા છે. - ૧૯૦૭ પદનો બોધ એ છે કે બાહ્ય ધર્મક્રિયાના આલંબનથી અશુભથી બચી, શુભમાં રહી, બહિરાત્મભાવમાંથી અંતરાત્મભાવમાં જઈ શુદ્ધ થવાનું છે અને ઉપયોગશુદ્ધિએ શુદ્ધાત્મા પરમાત્મપદ પ્રગટ કરવાનું છે જે માટે દેવાલયના આલંબને દેહાલયને શિવાલય બનાવવાનું છે. માનવીનું પ્રત્યેક આચરણ પ્રસંગને અનુરૂપ હોવું જોઈએ. એ આત્મ જાગૃતિમાંથી પ્રગટેલું હોવું જોઈએ, નહિ કે પૂર્વયોજના કે વિચારોમાંથી. આત્મજાગૃતિમાં રહીને કરાયેલા કાર્યો ઉપર જૈન શાસન અધ્યાત્મનું લેબલ મારે છે અને અધ્યાત્મીઓનો જ મોક્ષ બતાવે છે. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત જો સાચા હોય તો તે આત્મજાગૃતિ લાવ્યા વિના રહેજ નહિ. 事 રાગનું કારણ જડ નથી પણ રૂપીપણું છે જે રાગ કરાવે છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy