________________
આનંદઘન પદ - ૨૭
૧૯૫
કર્યો હોત તો પિતાની હાજરીમાં જ પુત્ર ગાદીનશીન થયો હોત. મુહૂર્તની ભાંજગડમાં તો રામજીનો રાજ્યાભિષેક ચૌદ વર્ષ આઘો ઠેલાયો અને રાજા દશરથ એ અવસર માણવા જીવિત રહ્યાં નહિ. એથી જ તો કહ્યું છે કે
શુમી શિષ્યન” “શ્રેયારિત વહુ વિજ્ઞાન” શુભને કાલ પર ન ઠેલો. આજ, અત્યારેજ એનો અમલ કરો કારણ કે શ્રેયસ્કર કાર્યોની આડે ઘણા વિપ્નો આવવાની સંભાવના છે. કાલનો કોઈ ભરોસો રખાય એમ નથી. આ માનવભવ કાંઈ વારંવાર સહેજાસહજ મળી જતો. નથી. - બહિરાતમ મૂઢા જરા જેતા, માયા કે છંદ રહેતા;
ઘટ અંતર પરમાતમ ધ્યાવે, દુર્લભ પ્રાણી તેતા. અવધૂ૩. : આ જગતમાં જે અનામીનું નામ જપતાં જપતાં અનામી થવા ઈચ્છતા નથી, જે નિરાકારીને આકારીને એની સ્થાપના કરી એના રૂપને નિહાળતાં નિહાળતાં - એની પૂજા, પ્રાર્થના, અર્ચના કરતાં કરતાં અરૂપી થવા ચાહતા નથી; જે અકાલ, કાલાતીતના જીવનકાલનું વાચન - ભજન કરતાં કરતાં સ્વયં અકાલ, કાલાતીત થવા માંગતા નથી, તે તે જગતના જીવો બહિરાતમ, બહારમાં વ્યવહાર અને વ્યવહારક્રિયામાં મુંઝાઈ ગયેલા, મોહાઈ ગયેલાં, મૂઢ, મૂરખ, અજ્ઞાની જીવો છે. બહાર વ્યવહારમાં કરાતી સર્વ બાહ્ય વ્યવહારક્રિયા એ. પુદ્ગલથી પુગલમાં કરાતી પુલક્રિયા છે. પુદ્ગલ તો પુરણ અને ગલન થનારું પળે પળે પલટાનારું બહુરૂપી એવું માયાવી દ્રવ્ય છે. બહારમાંથી અંદરમાં - ભીતરમાં નહિ જનારા જગતના એ બહિરાત્મા છે, જે પુદ્ગલની માયાના ફંદામાં ફસાયેલાં માયાવશ, મોહવશ એવાં કર્માધીન જીવડાં છે.
પરમાત્માનું નામ લેતાં લેતાં, પરમાત્માનું રૂપ નિહાળતાં નિહાળતાં, અને પરમાત્માના જીવન ચરિત્રકથન વાંચતાં સૂણતાં સ્વયં અનાત્મભાવમાંથી - બહિરાત્મભાવમાંથી અંતરમાં ઊંડા ઊતરે છે; પરમાત્માનું જેવું પ્રગટ સ્વરૂપ છે તેવું જ પોતાનું પણ અપ્રગટ સ્વરૂપ છે -. તત્ ત્વમસિ' ના ભાવથી. દેવાલયના ભગવાનના આલંબનથી ભીતરમાં દેહાલયમાં રહેલાં ભગવાન આત્માની
બધાને બધું મળતું નથી, તેથી તો જે મળ્યું છે એમાં સંતોષ માની સુખી થવા કહ્યું.