SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ આનંદઘન પદ - ૨૭ તોરમાં પોતપોતાના મતો અને મઠોને અને તેના અનુયાયીને લેબલ માર્યા. જટા ધરીને ફરનારા જટાધારી કહેવાયા. શરીરે રાખના પટા કરનારા કે પછી અમુક પાટવાળા, અમુલ ગાદીવાળાનો અમુક પટો ધારણ કરનારા તે તે પટના - પાટના - ગાદીના પટાધર કહેવાયા. કોઈએ ત્રિદંડ ઘર્યો, કોઈએ ચીપિયા ખખડાવ્યા, કોઈએ ત્રિપુંડના ભાલે તિલક કર્યા, કોઈએ ચોટલી રાખી, કોઈએ મુંડન કરાવ્યું, કોઈએ દાઢી રાખી, કોઈએ જનોઈ ધારણ કરી, કોઈએ કોઈની કંઠી પહેરી એમ પોતાના મત-પટ-પંથ-ગાદી-પાટની ઓળખ બતાડવા પટાધારી થયાં. બ્રાન્ડેડ બન્યા. પાટ જે જ્ઞાનની બેઠક - વ્યાસપીઠ કહેવાય. તેની ઊંચાઈ - મોટાઈ ખોવાઈ ગઈ. એટલું જ નહિ પણ પોત પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવાં જુદા જુદા પ્રકારની છત્રીઓ - શિરત્રાણ ધારણ કરનારા બની છતાધર થયાં. કોઈએ ભગવી, કોઈએ પીળી, કોઈએ લાલ, કોઈએ સફેદ, કોઈએ લીલી ધજા ફરકાવવાની રાખી. માથે જુદી જુદી ટોપી, પાઘડી, કેપ, હેટ ધારણ કરવાનું ચાલુ કર્યું. આડંબર વધ્યો પણ આત્મધન હણાય ગયું. સાધન બળ જામ્યું અને સત્વ ખોવાઈ ગયું. બહારની ક્રિયામાં ધામધૂમે ધમાધમ ચાલે પણ તત્ત્વદષ્ટિએ તપાસો તો બધું સારહીન લાગે. મહોપાધ્યાયજીએ પણ ગાયું. વિષયરસમાં ગ્રહી માચિયા, નાચિયા કુગુરુ મપૂર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. ગા. ૭ - સવાસો ગાથી સ્તવન. આમ ધર્મનો મર્મ, ધર્મનું હાર્ટ (પ્રાણ) કે જે ભાવ કહેવાય તે ભૂલાઈ જતાં જેના થકી શાંત, પ્રશાંત, ઉપશાંત થવાનું હતું તે માટે જ થઈ રાતા માતા. તાતા થયાં - અશાંત ગરમ થયાં - ઉકળ્યાં - ઉશ્કેરાયા. આગમ પઢી આણમધર થાકે, માયા ધરી છાકે; દુનિયાદાર દુનિસે લાગે, દાસા સબ આશાકે. અવધૂ.૨. જેવો દેહ એ ભાષાનું મકાન સમજાય છે તેને પછી સંસારમાં ઉદાસીનતા સહજપણે વર્તાય છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy