SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૨૬ ૧૮૭ ગણાયો છે. અનંત અનંત પુણયરાશિ એકત્રિત થયેથી મળેલા આ માનવભવમાં જ્ઞાનકળા - વૈરાગ્યકળા જ એક માત્ર પ્રાપ્ત કરવા યોગ્ય છે. જીવ જો એ તક ચૂકી ગયો તો સંખ્યાત, અસંખ્યાત કે અનંતભવોની સંસારની રખડપટ્ટીના એંધાણ આત્માના લલાટે લખાઈ જાય છે માટે યોગીરાજ આનંદઘનજી મહારાજ અત્યંત કરુણાપુત હૃદયે પોકાર કરી મોહનિદ્રામાં પોઢેલા અને બીજી બધી કળાઓ સિદ્ધ કરવામાં વ્યર્થ સમય ગુમાવતા આત્માને ચેતવવા - જગાડવા આ પદ દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે. આત્મજ્ઞાની મહાપુરુષોના પ્રત્યેક વચનો પાછળ પાવનકારી કરુણાનો ધોધ વહેતો હોય છે. એ જો જીવને પરખાય - ઓળખાય - પકડાય જાય તો જ તેમના વચનનું હાર્દ પામી શકાય અને ભવનિસ્તાર સાધી શકાય. આત્મજ્ઞાની મહાપુરુષોના વચનો બીજા સામાન્ય માનવ જેવા શુષ્ક નથી હોતા પણ જીવમાત્રના કલ્યાણને વાંછતા કરુણાસભર હોય છે જેની આપણે કદર કરવા જેવી છે. વૃત્તિ, વાસના, વિચારો અને વિકારો એ અંતઃકરણની અશાંત અવસ્થા છે. ચૈતળે તત્વો ના બયાંથી ઉપર ઉઠાવવાનું છે. જો થી બે ઘડી વા ઉયયોગ, ઉયયોગમાં અખંડ રહે તો ક્ષયબ્રેણિ મંડાય અને વીતરાગ સર્વજ્ઞ થવાય. જૈનત્વ એ ભીતરમાંથી ઉભરનારું તત્ત્વ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy